AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનના વિસ્તરણ અને સ્પેશ્યલ ટ્રેન અંગે લેવાયો મહત્વનો નિર્ણય

આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે.

AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનના વિસ્તરણ અને સ્પેશ્યલ ટ્રેન અંગે લેવાયો મહત્વનો નિર્ણય
Western Railway expanded some trains departing from Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 28, 2021 | 2:42 PM

AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી મુઝફ્ફરપુર અને દરભંગા માટે ચલાવવામાં આવી રહેલી અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેનં નં. 05270 / 05269 અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ : ટ્રેનં નં. 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશ્યલ જે અમદાવાદ થી પ્રત્યેક શનિવારે ચલાવવામાં આવી રહી છે, જેને 28 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05269 મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશ્યલ જે મુઝફ્ફરપુરથી પ્રત્યેક ગુરૂવારે ચલાવવામાં આવી રહી છે જેને 26 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

2.ટ્રેનં નં. 05560 / 05559 અમદાવાદ-દરભંગા-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ : ટ્રેનં નં. 05560 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ જે અમદાવાદથી પ્રત્યેક શુક્રવારે ચલાવવામાં આવી રહી છે, જેને 27 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05559 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ જે દરભંગાથી પ્રત્યેક બુધવારે ચલાવવામાં આવી રહી છે જેને 25 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ટ્રેન નંબર 05270 અને 05560 માટે બુકિંગ 30 ઓગસ્ટ 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને RICTC વેબસાઇટ પર શરૂ થશે.

3.ટ્રેનં નં. 09495 / 09496 અમદાવાદ-વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09496 અમદાવાદ-વડોદરા-પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી અમદાવાદથી પ્રતિ દિવસ 15.00 કલાકે ઉપડીને 17.45 કલાકે વડોદરા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી વડોદરાથી પ્રતિ દિવસ 06.30 કલાકે ઉપડીને 08.55 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણીનગર, બારેજડી, મહેમદાવાદ રોડ, નડિયાદ, આણંદ તથા વાસદ સ્ટેશનોએ રોકાશે.

4.ટ્રેનં નં. 09488 / 09487 વિરગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09488 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી વિરમગામથી પ્રતિ દિવસ 07.00 કલાકે ઉપડીને 08.30 કલાકે મહેસાણા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 09.20 કલાકે ઉપડીને 10.50 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન જક્શી, ભંકોડા, દેત્રોજ, કટોસણ રોડ, જોટાણા અને લીંચ સ્ટેશનોએ રોકાશે.

5.ટ્રેનં નં. 09492 / 09491 વિરગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09492 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી વિરમગામ થી પ્રતિ દિવસ 17.25 કલાકે ઉપડીને 18.50 કલાકે મહેસાણાપહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09491 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 19.30 કલાકે ઉપડીન 21.00 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભંકોડા, દેત્રોજ અને કટોસણ રોડ સ્ટેશનોએ રોકાશે.

યાત્રી સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવિડ-19 થી સંબંધિત તમામ માપદંડો તથા SOPનું પાલન કરવાનું અનુરોધ કરવામા આવ્યું છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">