AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો કરી રદ, ભારે વરસાદથી મુંબઈ-સુરત-વલસાડ રૂટ પર અસર

15 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવા ઉપરાંત, પશ્ચિમ રેલવેએ એક ખાસ ટ્રેનનું સમયપત્રક પણ ફરીથી નક્કી કર્યું છે, જ્યારે બે અન્ય સેવાઓ આંશિક રીતે રદ કરવામાં આવી છે અથવા ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે.

Breaking News : પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો કરી રદ, ભારે વરસાદથી મુંબઈ-સુરત-વલસાડ રૂટ પર અસર
| Updated on: Jul 24, 2026 | 12:46 PM
Share

ભારે વરસાદ અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓને પગલે પશ્ચિમ રેલવેએ 24 જુલાઈના રોજ 15 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરી છે. વરસાદની અસર મુંબઈ, સુરત, વલસાડ, અમદાવાદ સહિતના અનેક મહત્વના રૂટ પર જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈ-ગુજરાત વચ્ચેની અનેક ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવે દ્વારા સુરત-વિરાર, વલસાડ-દાહોદ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર રાજધાની સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક અને સંચાલન વ્યવસ્થાને અસર થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉધના-અયોધ્યા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

આ ઉપરાંત ટ્રેન નંબર 09093 ઉધના-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે ઉધનાથી સવારે 7:25 વાગ્યાના બદલે સવારે 10:25 વાગ્યે રવાના થશે.

બે ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ

પશ્ચિમ રેલવેએ બે અન્ય ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કર્યો છે. હિસાર-વલસાડ ટ્રેનને મરોલી ખાતે રોકવામાં આવી છે અને મરોલી-વલસાડ વચ્ચેની સેવા રદ રહેશે. જ્યારે બાંદ્રા ટર્મિનસ-ભુજ ટ્રેન હવે બાંદ્રા ટર્મિનસના બદલે સુરતથી શરૂ થશે, જેના કારણે બાંદ્રા ટર્મિનસ-સુરત વચ્ચેનો રૂટ આંશિક રીતે રદ રહેશે.

રદ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે

  • 19002 સુરત – વિરાર
  • 22444 બાંદ્રા ટર્મિનસ – કાનપુર સેન્ટ્રલ
  • 19011 વલસાડ – દાહોદ
  • 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંકશન
  • 20959 વલસાડ – વડનગર
  • 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની
  • 59049 વલસાડ – વડોદરા જંકશન
  • 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંકશન
  • 12935 બાંદ્રા ટર્મિનસ – સુરત
  • 69139 બોરીવલી – વલસાડ
  • 59045 મુંબઈ સેન્ટ્રલ – વાપી
  • 59024 વલસાડ – મુંબઈ સેન્ટ્રલ
  • 19010 વિરાર – ભરૂચ જંકશન
  • 69161 વિરાર – સુરત
  • 59039 વિરાર – વલસાડ

મુસાફરોને રેલવેની સૂચનાઓનું પાલન કરવા અપીલ

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ તપાસી લેવા અને રેલવેના તાજા અપડેટ્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત

Follow Us
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
g clip-path="url(#clip0_868_265)">