AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad: આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો આવશે અંત, દૂધની જળાશય પર 72 કરોડના ખર્ચે બનશે બ્રિજ

Valsad: કપરાડા અને દાદરા નગર હવેલીના 30 જેટલા ગામોના આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો અંત આવશે. આઝાદીના 75 વર્ષ બાદ આ વિસ્તારના ગામોને જોડતો બ્રિજ બનવા જઈ રહ્યો છે જેનાથી તેમની વર્ષોની અવરજવરની સમસ્યાનો અંત આવશે.

Valsad:  આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો આવશે અંત, દૂધની જળાશય પર 72 કરોડના ખર્ચે બનશે બ્રિજ
આદિવાસીઓની સમસ્યાનો આવશે અંત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 10:48 PM
Share

વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીના આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો અંત આવશે. દાદરા નગર હવેલીમાં આવેલા દૂધનીમાં વહેતી દમણગંગાના કારણે બે ભાગમાં વહેંચાઈ ગયેલા 30થી વધુ ગામોના લોકો દાયકાઓથી બ્રિજ વીના અવરજવર કરવામાં પારાવાર હાલાકી વેઠતા હતા. જો કે હવે અહીં બની રહેલા બ્રિજને કારણે આ અંતર દૂર થશે. જે ડેમના પાણીને લીધે બંને વિસ્તારો વિખૂટા પડતા હતા, ત્યાં હવે સંબંધોનો સેતુ રચતો બ્રિજ આકાર લઈ રહ્યો છે. આઝાદીના 75 વર્ષ બાદ અહીં આ બ્રિજ બની રહ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ બ્રિજ સામાન્ય લાગે છે, પરંતુ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓ માટે આ બ્રિજ આઝાદી બાદની સૌથી મોટી ભેટ સમાન છે. વલસાડના કપરાડા અને દૂધની વિસ્તારના આદિવાસીઓને મન આ ફક્ત પુલ નથી પણ સંબંધોનો એવો સેતુ છે જે આઝાદી બાદ પ્રથમ વખત રચાયો છે.

દૂધની વિસ્તારના આદિવાસીઓને આઝાદી બાદ બ્રિજ સ્વરૂપે સૌથી મોટી ભેટ

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દૂધની જળાશય આવેલું આ છે. પાણીથી છલોછલ આ જળાશયની એક તરફ દાદરા નગર હવેલીના ગામો છે તો બીજી તરફ કપરાડાના ગામોની હદ છે. બંને તરફ મળીને કુલ 30 જેટલા ગામ છે. જેના લોકો સામાજિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે તો રોટી-બેટીનો વ્યવહાર પણ છે, પરંતુ બંને વિસ્તારો વચ્ચે આ પાણી હોવાથી લોકોએ અવરજવર માટે 70 કિલોમીટર લાંબુ ચક્કર મારવું પડે છે. જો કે લોકોની સુવિધા માટે સરકારે દૂધની જળાશય પર બોટની સુવિધા ઉભી કરી છે. જેમાં લોકો પોતાના વાહનો સાથે બંને તરફ અવરજવર કરે છે, પરંતુ તેના માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાથી ઈમરજન્સી વખતે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.

72 કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ

આઝાદી કાળથી અવરજવરની સમસ્યાઓ વેઠી રહેલા આદિવાસીઓની રાહનો આખરે અંત આવ્યો. સરકાર દ્વારા અહીં 72 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. 1.5 કિલોમીટર લાંબો અને 7.5 મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજની બંને તરફ ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે. અગાઉ પાણી માર્ગે બંને તરફ અવરજવર કરવા એકમાત્ર બોટનો જ સહારો હતો. પરંતુ હવે આ પુલ બની જવાથી બંને તરફના લોકો ઝડપથી અને સરળતાથી આવ-જા કરી શકશે.

દૂધની તરફના 10 ગામો અને કપરાડાના 15થી વધુ જેટલા ગામો આમ તો દાયકાઓથી સામાજિક અને આર્થિક રીતે જોડાયેલા છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ બ્રિજ બની જવાથી બંને તરફના વિસ્તારોનું ભૌગોલિક અંતર પણ પૂરાઇ જશે. જેના કારણે આદિવાસીઓના હૈયે ખરા અર્થમાં હરખની હેલી ઉમટી છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન કુલકર્ણી- વલસાડ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">