AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad: આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો આવશે અંત, દૂધની જળાશય પર 72 કરોડના ખર્ચે બનશે બ્રિજ

Valsad: કપરાડા અને દાદરા નગર હવેલીના 30 જેટલા ગામોના આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો અંત આવશે. આઝાદીના 75 વર્ષ બાદ આ વિસ્તારના ગામોને જોડતો બ્રિજ બનવા જઈ રહ્યો છે જેનાથી તેમની વર્ષોની અવરજવરની સમસ્યાનો અંત આવશે.

Valsad:  આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો આવશે અંત, દૂધની જળાશય પર 72 કરોડના ખર્ચે બનશે બ્રિજ
આદિવાસીઓની સમસ્યાનો આવશે અંત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 10:48 PM
Share

વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીના આદિવાસીઓની વર્ષોની સમસ્યાનો અંત આવશે. દાદરા નગર હવેલીમાં આવેલા દૂધનીમાં વહેતી દમણગંગાના કારણે બે ભાગમાં વહેંચાઈ ગયેલા 30થી વધુ ગામોના લોકો દાયકાઓથી બ્રિજ વીના અવરજવર કરવામાં પારાવાર હાલાકી વેઠતા હતા. જો કે હવે અહીં બની રહેલા બ્રિજને કારણે આ અંતર દૂર થશે. જે ડેમના પાણીને લીધે બંને વિસ્તારો વિખૂટા પડતા હતા, ત્યાં હવે સંબંધોનો સેતુ રચતો બ્રિજ આકાર લઈ રહ્યો છે. આઝાદીના 75 વર્ષ બાદ અહીં આ બ્રિજ બની રહ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ બ્રિજ સામાન્ય લાગે છે, પરંતુ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓ માટે આ બ્રિજ આઝાદી બાદની સૌથી મોટી ભેટ સમાન છે. વલસાડના કપરાડા અને દૂધની વિસ્તારના આદિવાસીઓને મન આ ફક્ત પુલ નથી પણ સંબંધોનો એવો સેતુ છે જે આઝાદી બાદ પ્રથમ વખત રચાયો છે.

દૂધની વિસ્તારના આદિવાસીઓને આઝાદી બાદ બ્રિજ સ્વરૂપે સૌથી મોટી ભેટ

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દૂધની જળાશય આવેલું આ છે. પાણીથી છલોછલ આ જળાશયની એક તરફ દાદરા નગર હવેલીના ગામો છે તો બીજી તરફ કપરાડાના ગામોની હદ છે. બંને તરફ મળીને કુલ 30 જેટલા ગામ છે. જેના લોકો સામાજિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે તો રોટી-બેટીનો વ્યવહાર પણ છે, પરંતુ બંને વિસ્તારો વચ્ચે આ પાણી હોવાથી લોકોએ અવરજવર માટે 70 કિલોમીટર લાંબુ ચક્કર મારવું પડે છે. જો કે લોકોની સુવિધા માટે સરકારે દૂધની જળાશય પર બોટની સુવિધા ઉભી કરી છે. જેમાં લોકો પોતાના વાહનો સાથે બંને તરફ અવરજવર કરે છે, પરંતુ તેના માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાથી ઈમરજન્સી વખતે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.

72 કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ

આઝાદી કાળથી અવરજવરની સમસ્યાઓ વેઠી રહેલા આદિવાસીઓની રાહનો આખરે અંત આવ્યો. સરકાર દ્વારા અહીં 72 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. 1.5 કિલોમીટર લાંબો અને 7.5 મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજની બંને તરફ ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે. અગાઉ પાણી માર્ગે બંને તરફ અવરજવર કરવા એકમાત્ર બોટનો જ સહારો હતો. પરંતુ હવે આ પુલ બની જવાથી બંને તરફના લોકો ઝડપથી અને સરળતાથી આવ-જા કરી શકશે.

દૂધની તરફના 10 ગામો અને કપરાડાના 15થી વધુ જેટલા ગામો આમ તો દાયકાઓથી સામાજિક અને આર્થિક રીતે જોડાયેલા છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ બ્રિજ બની જવાથી બંને તરફના વિસ્તારોનું ભૌગોલિક અંતર પણ પૂરાઇ જશે. જેના કારણે આદિવાસીઓના હૈયે ખરા અર્થમાં હરખની હેલી ઉમટી છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન કુલકર્ણી- વલસાડ

Follow Us
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">