Valsad: વરસાદ બાદ તારાજી જ તારાજી, વેપારીઓને લાખોનું નુકસાન, હવે રોગચાળાની ભીતિ

બે દિવસ સુધી વલસાડ (Valsad) શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Valsad: વરસાદ બાદ તારાજી જ તારાજી, વેપારીઓને લાખોનું નુકસાન, હવે રોગચાળાની ભીતિ
વરસાદ બાદ વલસાડમાં તારાજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 10:03 AM

વલસાડમાં (Valsad) મેઘાની ધમધોકાર બેટિંગથી ઘણી મુશ્કેલીઓ સર્જાઇ છે. પહેલા પાણીનો ભરાવો થાય તે હાલાકી. પછી, પાણી ઓસરે ત્યારે સર્જાતી રોગચાળાની ભીતિ. આ મુશ્કેલીમાં વલસાડના વેપારીઓની (merchants) સ્થિતિ કફોળી બની છે. ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ચોમાસાની શરુઆતમાં જ ધુંઆધાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી દીધુ છે.

વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન

વરસાદ બાદ વલસાડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. વલસાડના અનાજ બજારના ગોડાઉનમાં રહેલ અનાજ પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનુ નુક્સાન થયુ છે. તેમની વ્યથા એ પણ છે કે, આ હાલાતમાં કોઇએ તેમની દરકાર પણ લીધી નથી. કોઇ અધિકારી પણ બજારમાં સ્થિતીની સમીક્ષા કરવા આવ્યા નથી. વલસાડમાં ભારે વરસાદ થયા પછી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા અને તારાજીના દ્રશ્યો અનાજ બજારમાં જોવા મળ્યા.

ઔરંગાના જળ તાંડવને કારણે સતત બે દિવસ સુધી નદી કિનારા વિસ્તારના લોકોને ઘરમાં જ રહેવા મજબૂર થવું પડ્યું. તબાહીની ભયાનક્તા એટલી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી લોકોના ઘરમાં પાણી હતું. આ વિસ્તારમાંથી 2 દિવસ સુધીમાં 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જોકે બે દિવસ સુધી વલસાડ શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકી

અનાજ બજારના વેપારીઓની મૂડી તો જાણે ધોવાઇ જ ગઇ છે એટલું નુક્સાન થયુ છે. પણ હવે સ્થિતિને સામાન્ય કરવાની જવાબદારી તો પાલિકાની છે. કેમકે જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં કંઇ હદે ગંદકી ફેલાઇ ચૂકી છે. જો કે રાહ જોય વિના તંત્ર દ્વારા કેટલાક વિસ્તારમાં સાફ સફાઇ માટેની ટીમ અને રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યની ટીમ કામે લાગી છે તેવુ કલેક્ટરનુ કહેવું છે. બીજી બાજુ હકીકત તો એ પણ છે કે ઘણા વિસ્તારોમાં તો સાફસફાઇની શરૂઆત પણ થઇ નથી.

કુદરતી આફત એવી હતી કે સિસ્ટમ પહોંચી ના વળી તે સમજાય છે પણ વરસાદ બંધ થઇ ગયા પછીના જે હાલ છે તેને સમય પર સામાન્ય કરવાની જરૂર છે અને તે પણ એક બે વિસ્તારમાં નહીં પણ પૂરા વલસાડમાં તો જ રોગચાળાથી વલસાડની જનતા સુરક્ષિત અનુભવ કરી શક્શે.

(વીથ ઇનપુટ-સચિન કુલકર્ણી , વલસાડ)

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">