Valsad: વરસાદ બાદ તારાજી જ તારાજી, વેપારીઓને લાખોનું નુકસાન, હવે રોગચાળાની ભીતિ

બે દિવસ સુધી વલસાડ (Valsad) શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Valsad: વરસાદ બાદ તારાજી જ તારાજી, વેપારીઓને લાખોનું નુકસાન, હવે રોગચાળાની ભીતિ
વરસાદ બાદ વલસાડમાં તારાજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 10:03 AM

વલસાડમાં (Valsad) મેઘાની ધમધોકાર બેટિંગથી ઘણી મુશ્કેલીઓ સર્જાઇ છે. પહેલા પાણીનો ભરાવો થાય તે હાલાકી. પછી, પાણી ઓસરે ત્યારે સર્જાતી રોગચાળાની ભીતિ. આ મુશ્કેલીમાં વલસાડના વેપારીઓની (merchants) સ્થિતિ કફોળી બની છે. ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ચોમાસાની શરુઆતમાં જ ધુંઆધાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી દીધુ છે.

વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન

વરસાદ બાદ વલસાડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. વલસાડના અનાજ બજારના ગોડાઉનમાં રહેલ અનાજ પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનુ નુક્સાન થયુ છે. તેમની વ્યથા એ પણ છે કે, આ હાલાતમાં કોઇએ તેમની દરકાર પણ લીધી નથી. કોઇ અધિકારી પણ બજારમાં સ્થિતીની સમીક્ષા કરવા આવ્યા નથી. વલસાડમાં ભારે વરસાદ થયા પછી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા અને તારાજીના દ્રશ્યો અનાજ બજારમાં જોવા મળ્યા.

ઔરંગાના જળ તાંડવને કારણે સતત બે દિવસ સુધી નદી કિનારા વિસ્તારના લોકોને ઘરમાં જ રહેવા મજબૂર થવું પડ્યું. તબાહીની ભયાનક્તા એટલી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી લોકોના ઘરમાં પાણી હતું. આ વિસ્તારમાંથી 2 દિવસ સુધીમાં 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જોકે બે દિવસ સુધી વલસાડ શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકી

અનાજ બજારના વેપારીઓની મૂડી તો જાણે ધોવાઇ જ ગઇ છે એટલું નુક્સાન થયુ છે. પણ હવે સ્થિતિને સામાન્ય કરવાની જવાબદારી તો પાલિકાની છે. કેમકે જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં કંઇ હદે ગંદકી ફેલાઇ ચૂકી છે. જો કે રાહ જોય વિના તંત્ર દ્વારા કેટલાક વિસ્તારમાં સાફ સફાઇ માટેની ટીમ અને રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યની ટીમ કામે લાગી છે તેવુ કલેક્ટરનુ કહેવું છે. બીજી બાજુ હકીકત તો એ પણ છે કે ઘણા વિસ્તારોમાં તો સાફસફાઇની શરૂઆત પણ થઇ નથી.

કુદરતી આફત એવી હતી કે સિસ્ટમ પહોંચી ના વળી તે સમજાય છે પણ વરસાદ બંધ થઇ ગયા પછીના જે હાલ છે તેને સમય પર સામાન્ય કરવાની જરૂર છે અને તે પણ એક બે વિસ્તારમાં નહીં પણ પૂરા વલસાડમાં તો જ રોગચાળાથી વલસાડની જનતા સુરક્ષિત અનુભવ કરી શક્શે.

(વીથ ઇનપુટ-સચિન કુલકર્ણી , વલસાડ)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">