Valsad: વરસાદ બાદ તારાજી જ તારાજી, વેપારીઓને લાખોનું નુકસાન, હવે રોગચાળાની ભીતિ

બે દિવસ સુધી વલસાડ (Valsad) શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Valsad: વરસાદ બાદ તારાજી જ તારાજી, વેપારીઓને લાખોનું નુકસાન, હવે રોગચાળાની ભીતિ
વરસાદ બાદ વલસાડમાં તારાજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 10:03 AM

વલસાડમાં (Valsad) મેઘાની ધમધોકાર બેટિંગથી ઘણી મુશ્કેલીઓ સર્જાઇ છે. પહેલા પાણીનો ભરાવો થાય તે હાલાકી. પછી, પાણી ઓસરે ત્યારે સર્જાતી રોગચાળાની ભીતિ. આ મુશ્કેલીમાં વલસાડના વેપારીઓની (merchants) સ્થિતિ કફોળી બની છે. ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ચોમાસાની શરુઆતમાં જ ધુંઆધાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી દીધુ છે.

વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન

વરસાદ બાદ વલસાડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. વલસાડના અનાજ બજારના ગોડાઉનમાં રહેલ અનાજ પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનુ નુક્સાન થયુ છે. તેમની વ્યથા એ પણ છે કે, આ હાલાતમાં કોઇએ તેમની દરકાર પણ લીધી નથી. કોઇ અધિકારી પણ બજારમાં સ્થિતીની સમીક્ષા કરવા આવ્યા નથી. વલસાડમાં ભારે વરસાદ થયા પછી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા અને તારાજીના દ્રશ્યો અનાજ બજારમાં જોવા મળ્યા.

ઔરંગાના જળ તાંડવને કારણે સતત બે દિવસ સુધી નદી કિનારા વિસ્તારના લોકોને ઘરમાં જ રહેવા મજબૂર થવું પડ્યું. તબાહીની ભયાનક્તા એટલી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી લોકોના ઘરમાં પાણી હતું. આ વિસ્તારમાંથી 2 દિવસ સુધીમાં 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જોકે બે દિવસ સુધી વલસાડ શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકી

અનાજ બજારના વેપારીઓની મૂડી તો જાણે ધોવાઇ જ ગઇ છે એટલું નુક્સાન થયુ છે. પણ હવે સ્થિતિને સામાન્ય કરવાની જવાબદારી તો પાલિકાની છે. કેમકે જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં કંઇ હદે ગંદકી ફેલાઇ ચૂકી છે. જો કે રાહ જોય વિના તંત્ર દ્વારા કેટલાક વિસ્તારમાં સાફ સફાઇ માટેની ટીમ અને રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યની ટીમ કામે લાગી છે તેવુ કલેક્ટરનુ કહેવું છે. બીજી બાજુ હકીકત તો એ પણ છે કે ઘણા વિસ્તારોમાં તો સાફસફાઇની શરૂઆત પણ થઇ નથી.

કુદરતી આફત એવી હતી કે સિસ્ટમ પહોંચી ના વળી તે સમજાય છે પણ વરસાદ બંધ થઇ ગયા પછીના જે હાલ છે તેને સમય પર સામાન્ય કરવાની જરૂર છે અને તે પણ એક બે વિસ્તારમાં નહીં પણ પૂરા વલસાડમાં તો જ રોગચાળાથી વલસાડની જનતા સુરક્ષિત અનુભવ કરી શક્શે.

(વીથ ઇનપુટ-સચિન કુલકર્ણી , વલસાડ)

Latest News Updates

વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન