AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad : શિક્ષણનું વ્યાપારીકરણ કરતી શાળાઓની મનમાની હવે નહીં ચલાવી લેવાય, પ્રાથમિક શિક્ષણ અધિકારી એલર્ટ પર

વિદ્યાર્થીઓને(Students ) ગણવેશ પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તાકીદ કરી છે.

Valsad : શિક્ષણનું વ્યાપારીકરણ કરતી શાળાઓની મનમાની હવે નહીં ચલાવી લેવાય, પ્રાથમિક શિક્ષણ અધિકારી એલર્ટ પર
School Students (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:45 AM
Share

વલસાડ(Valsad ) જિલ્લાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને (Students ) યુનિફોર્મથી લઇ નોટબુક, સ્ટેશનરી વગેરે શહેરની ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી(Schools ) ખરીદી કરવા દબાણ કરાતું હોવાનો મામલો સામે આવ્યો હતો. તે બાદ વલસાડ પ્રાથમિક શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવી ગયા છે અને સ૨કા૨ી નિતિ-નિયમોનો ઉલ્લંઘન કરતી શાળાઓ સામે કાયદેસ૨ કાર્યવાહી કરવા તૈયારી દર્શાવી રહ્યા છે.

સરકારના નિયમોનો ઉલ્લંઘન કરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગના તા.02/12/2014 નાં ઠરાવ નંબર 6 તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરના તા.10/06/2022 પત્ર હેઠળ દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઠરાવની જોગવાઇ પ્રમાણે જો શાળાઓ સ૨કા૨ના નિતિનિયમોનો ઉલ્લંઘન કરે તો આરટીઇ એકટ-2009 ની કલમ-17 મુજબ પહેલા કિસ્સામાં  રૂ.10 હજાર અને તે પછીના દરેક કિસ્સામાં 25 હજાર રૂપિયા દંડ કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જો સંબંધિત શાળા દ્વારા દંડ ભરવામાં ન આવે તેમજ વારંવાર અનિમિતતાઓ બતાવવામાં આવે તેવા સંજોગોમાં અંતિમ પગલા તરીકે તે શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી ની જોગવાઇ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાની તમામ નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓને આ પરિપત્રના ચુસ્ત અમલ અંગેની અને દરેક ખાનગી શાળાઓએ તેઓ પોતાની શાળાના વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની ચીજવસ્તુ શાળામાંથી કે ચોક્કસ દુકાનેથી ખરીદવાનો આગ્રહ રાખતા નથી કે દબાણ કરતા નથી. આવી જાહેરાતની નકલ શાળાના નોટીસ બોર્ડ પર સોશિયલ મિડિયા પર મુકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે જો કોઇપણ વાલીઓને રજૂઆત કે ફરિયાદ કરવી હોય તો કચેરીના ફોન નંબર અને વેબસાઈટ પણ જાહેર કરવામાં આવી છે.

વાલીઓ પોતાની ફરિયાદ  ફોન નં. (02632) 253210 અથવા ઇમેઇલ dpeovalsad@gmail.com ઉપર કરી શકે છે. નોંધનીય છે કે શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ દુકાનોમાંથી જ યુનિફોર્મ, સ્ટેશનરી કે નોટબુક ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તાકીદ કરી છે. અને જો કોઈ શાળા આવું કરતી જણાશે, અને શિક્ષણાધિકારીને ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવાની પણ તૈયારી તંત્રએ દર્શાવી છે.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">