વાપી-વલસાડ શામળાજી હાઇવે પર ખાડારાજ યથાવત, તંત્ર કામગીરીના નામે ફક્ત થીંગડા જ મારી રહ્યું છે

નોંધનીય છે કે આ રસ્તા પર ભારે વાહનોની અવરજવર નથી થતા છતાં પણ આ રસ્તા પર ખાડા કાયમ જોવા મળે છે. લોકોને અડચણરૂપ આ ખાડાઓની સમસ્યા દૂર કરવામાં તંત્ર તદ્દન વામણું જ પુરવાર થયું છે.

વાપી-વલસાડ શામળાજી હાઇવે પર ખાડારાજ યથાવત, તંત્ર કામગીરીના નામે ફક્ત થીંગડા જ મારી રહ્યું છે
Potholes in Vapi (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 9:08 AM

વાપી (Vapi ) શામળાજી હાઇવે પર વાંસદા (Vansda ) તાલુકામાં તંત્રની બેદરકારીના કારણે લોકોને હજી પણ મસમોટા ખાડાઓનો (Potholes )સામનો કરવો પડી રહ્યો છે. સમારકામ ખર્ચના નામે ધુમાડો કર્યા બાદ પણ તંત્ર દ્વારા નકરી વેઠ જ ઉતારવામાં આવતા પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી હોય ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ખાડાને કારણે તો અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે છતાં જવાબદાર અધિકારીઓ મૂકદર્શક બની તમાશો જોઈ રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

વાંસદા તાલુકામાં ઠેરઠેર ખાડાથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકોને સમય, શક્તિ અને ઈંધણ નો ખર્ચ વધી જતાં મુશ્કેલી વધી રહી છે. તંત્ર દ્વારા ફક્ત વિકાસની વાતો કરવામાં આવી રહી છે. પણ હવે ચોમાસાની વિદાય થવા જઈ રહી છે, તેમ છતાં ખાડાની પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઇ રહી. માર્ગ મકાન વિભાગની આવી ઢીલી કામગીરી સામે સામાન્ય જનતામાં ભારે કચવાટ ઉઠી રહ્યો છે.

વાંસદા તાલુકામાં ઉનાઈ,ભીનાર,ચઢાવ સહિત ની જગ્યાએ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સામાન્ય વરસાદમાં ખાડાઓ પાણી ભરાવાના કારણે વરસાદ દરમિયાન વાહનો ખાડામાં પડતા અકસ્માતનો ભય રહેલો છે. ઉબડ ખાબડ માર્ગના કારણે વાહનચાલકોના વાહનોમાં ઈંધણ અને મેન્ટેનન્સ ખર્ચમાં વધારો થઈ ગયો છે. આટલું ઓછું હોય વાહનચાલકો નાના અકસ્માત નો ભોગ બની નાની મોટી ઇજા નો સામનો કરવો પડી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક વિરોધ કાર્યક્રમો પણ કરીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પણ કામગીરીના નામે ફક્ત થીંગડા મારીને માત્ર વેઠ જ ઉતારવામાં આવી હોય તેવું સાબિત થઇ રહ્યું છે. નોંધનીય છે કે આ રસ્તા પર ભારે વાહનોની અવરજવર નથી થતા છતાં પણ આ રસ્તા પર ખાડા કાયમ જોવા મળે છે. લોકોને અડચણરૂપ આ ખાડાઓની સમસ્યા દૂર કરવામાં તંત્ર તદ્દન વામણું જ પુરવાર થયું છે. ત્યારે અધિકારીઓ દ્વારા નિષ્ઠા બતાવીને લોકોને આ ખાડારાજ માંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">