AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વલસાડના માંડાની સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં લાગી ભીષણ આગ, 8 ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે

નિકોને જાણ થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરની 8 ટીમ ઘટના સ્થળે આવી પોંહચી હતી.

| Updated on: Mar 23, 2023 | 9:59 AM
Share

વલસાડ ના ઉમરગામના માંડાની એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિક ઝોન નજીક આવેલી પેકેજીંગ કરતી સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી છે.સ્થાનિકોને જાણ થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરની 8 ટીમ ઘટના સ્થળે આવી પોંહચી હતી. જેમાં ઉમરગામ, વાપી, સરીગામ દમણ અને સેલવાસના ફાયર બ્રિગેડની ટીમોનો બોલાવામાં આવી હતી. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : Valsad: હંગામી એસટી ડેપો ખાતે સુવિધાનો સદંતર અભાવ, મુસાફરોની વધી મુશ્કેલી

રાજ્યમાં બનેલી અન્ય આગની ઘટના

આજે ગોંડલના ગુંદાળા રોડ પર બંગડીના સ્ક્રેપના કારખાનામાં ભયંકર આગ લાગી છે. ગુંદાડા રોડ પર આવેલુ ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી છે. જેની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પોંહચી હતી. અને આગને કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ આગ બેકાબૂ બનતા રાજકોટ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ભીષણ આગ લાગવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પરંતુ હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.

ગઈ કાલે સવારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોધામ મચી હતી. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતીકે જ્વાળાઓ અને ધુમાડા બે થી ત્રણ કિમિ દૂરના અંતરેથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર બે ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. પ્લાસ્ટિક એ પેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો પડકાર સમાન બન્યો હતો. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">