AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad : જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

જિલ્લામાં ઝાડા-ઉલટીના 4824, મરડાના 1979 અને સૌથી વધુ શરદી ખાંસીના 9108 કેસ નોંધાયા છે. જોકે સરકારી આંક પ્રમાણે ડેન્ગ્યુંના 121 શંકાસ્પદ કેસ છે અને માત્ર 15 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

Valsad : જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:00 AM
Share

વલસાડ જિલ્લામાં પણ પાણીજન્ય રોગોનો રાફડો ફાટી નીકળ્યો છે. ઝાડા, ઉલટી, મરડાના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો છલકાઈ રહી છે. તો આરોગ્ય વિભાગ પણ કેસો ઓછા કરવા કામે લાગ્યું છે.

ચોમાસા દરમિયાન વાયરલ ફીવરના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ખાસ કરીને ઝાડા, ઉલટી અને મરડાના દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળે છે. તો પાણીજન્ય રોગ પણ માથું ઉચકે છે. અને ચિકનગુનિયા કે ડેન્ગ્યુ જેવા રોગોથી દર્દીના હાલ બેહાલ થતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં રોગચાળો વકરી રહ્યો હોય એમ દેખાઈ રહ્યું છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓમાં વધારો થયો છે. ઓ.પી.ડી માં આવતા દર્દીઓની સંખ્યા વધી છે. તો ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

જો સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ ઉપર નજર કરીએ તો જિલ્લામાં ઝાડા-ઉલટીના 4824, મરડાના 1979 અને સૌથી વધુ શરદી ખાંસીના 9108 કેસ નોંધાયા છે. જોકે સરકારી આંક પ્રમાણે ડેન્ગ્યુંના 121 શંકાસ્પદ કેસ છે અને માત્ર 15 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા 1.86 લાખ લોહીના નમુના લેવાયા છે. તો રોગચાળો કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કરતું હોવાનો પણ દાવા કરી રહ્યું છે.

કોરોનાની બીજી લહેરએ તબાહી મચાવી હતી. જોકે હાલ થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ સરકારી ચોપડે હાલમાં માત્ર 1 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો છે. જોકે વલસાડ શહેરમાં દર્દીઓની સંખ્યા વધુ છે અને સરકારી તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. મતલબ એ છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે.

ત્યારે બીજી લહેરમાં પોતાની છબી બચાવવા માટે સરકારે જે રીતે કોરોનાના સાચા આંક છુપાવ્યા હતા. એ રમત ફરી વાર રમ્યા વિના સરકાર સાચા આંકડા સામે લાવીને લોકોને જાગૃત કરે અને ત્રીજી લહેર સામે લડવા મજબુત કરે એ જરૂરી છે કેમકે હાલના પાણીજન્ય રોગમાં ખરેખર કેટલાક દર્દીઓ કોરોના પોઝીટીવ હોય તો પણ નવાઈ નહિ.

આ પણ વાંચો : BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ – વાહ !

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 13 સપ્ટેમ્બર: વ્યસ્ત હોવા છતાં, તમે ચોક્કસપણે તમારા અને પરિવાર માટે સમય કાઢી શકશો

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">