Vadodara: સ્વચ્છતા અભિયાનની જાહેરાત, પણ ડમ્પિંગ સાઇટ ફૂલ! દરરોજ ઠલવાય છે આટલા મેટ્રિક ટન કચરો

Vadodara: સ્વચ્છતા અભિયાનની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પણ વડોદરામાં ડમ્પિંગ સાઇટ જ ફૂલ હોવાનું જોવા મળી રહ્યું છે. દિન પ્રતિદિન શહેરના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે.

Vadodara: સ્વચ્છતા અભિયાનની જાહેરાત, પણ ડમ્પિંગ સાઇટ ફૂલ! દરરોજ ઠલવાય છે આટલા મેટ્રિક ટન કચરો
vadodara dumping site
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 6:55 AM

Vadodara: મેયરે મોટા ઉપાડે સ્વચ્છતા અભિયાનની (Swachhata Abhiyan) જાહેરાત તો કરી નાખી. પરંતુ શહેરમાંથી દરરોજ નીકળતો કચરો અને તેના નિકાલની રીત સામે અનેક શંકા-કુશંકા છે. સ્વચ્છતા અભિયાનની જાહેરાત સામે ડંપિગ સાઇટના દ્રશ્યો ઘણા વિકરાળ અને ગંભીર છે. સ્વચ્છતા અભિયાનની જાહેરાત બાદ હવે શહેરમાંથી ભેગા થતા કચરા અને તેના નિકાલનું ગણિત સમજીએ.

વડોદરામાંથી હાલ દરરોજ 1050 મેટ્રિક ટન કચરો ઉઘરાવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં 42 લાખ મેટ્રિક ટનથી વધારે કચરો ડમ્પિંગ સાઇટ ખાતે ઠાલવવામાં આવ્યો છે. જ્યારે કે, ડમ્પિંગ સાઇટની મર્યાદા 4 લાખ મેટ્રિક ટનની જ છે. એટલે એક વાત તો સાબિત થઇ કે, શહેરભરનો કચરો જ્યાં ઠાલવવામાં આવે છે, તે ડમ્પિંગ સાઇટ જ ફૂલ છે. કચરો એ હદે ડુંગરનું સ્વરૂપ લઇ રહ્યો છે કે શહેરના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઉભુ થયું છે.

અટલાદરા બાદ હાઇવે પર શહેરના છેવાડે જ્યારે જાંબુઆ ખાતે વર્ષ 2010 માં ડમ્પિંગ સાઇટ ઉભી કરવામાં આવી, ત્યારે આ ડમ્પ સાઇટ 20 વર્ષ સુધી ચાલશે તેવો દાવો કરાયો હતો. પરંતુ માત્ર 10 વર્ષમાં જ ડમ્પિંગ સાઇટની 4 લાખ મેટ્રિક ટનની મર્યાદા સામે 42 લાખ મેટ્રિક ટનથી પણ વધારે જથ્થો અહીં ઠલવાઇ ચૂક્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જ્યારે મેયરને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે બાયો ડિમેટિશન પદ્ધતિથી જાંબુઆ ડમ્પિંગ સાઇટની લેન્ડ ફિલ એટલે કે ભરાવ ક્ષેત્રમાં ઘટાડો થાય તેવા પ્રયાસો શરૂ હોવાનું કહ્યું.

સ્વચ્છતા અભિયાન વચ્ચે જો ડમ્પિંગ સાઇટ ક્લિઅર થાય તો જ કાયમી અને નક્કર સમાધાન મળી શકે છે. પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણની મોટી મોટી વાતો વચ્ચે, જે રીતે કચરાનો ઢગ ઊંચે જઇ રહ્યો છે. તેનાથી જમીનના તળમાં પણ પ્રદૂષણ ફેલાયા છે, જેનાથી શહેરના પર્યાવરણપ્રેમીઓ ચિંતિત થયા છે.

આ પણ વાંચો: Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીમાં ‘યુથ પાર્લામેન્ટ’ મળી, ચર્ચા કરવામાં આવી નવી શિક્ષણ નીતિ પર

આ પણ વાંચો: સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, રાયગઢ કિલ્લાની મુલાકાત લઈને છત્રપતિ શિવાજીને શ્રદ્ધાંજલિ આપશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">