વડોદરા- ડેસર તાલુકાના વરણોલી શિહોરા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી

Vadodara: ડેસર તાલુકાના વરણોલી શિહોરા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનેકવાર રજૂઆત કરવા છતા કેનાલમાં પાણી છોડવામાં આવતુ નથી. જેના કારણે ખેડૂતોના મરચા, દિવેલા, કપાસ અને તમાકુનો પાક સુકાઈ રહ્યો છે.

વડોદરા- ડેસર તાલુકાના વરણોલી શિહોરા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 11:34 PM

વડોદરાના ડેસર તાલુકાના વરણોલી શિહોરા માઈનોર કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં ન આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાકને પિયત ન મળતા ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતા પાણી છોડવામાં આવતુ નથી. ત્યારે હવે ખેડૂતોએ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનું કહેવુ છે કે ડેસર તાલુકામાં વરણોલી શિહોરા માઈનોર કેનાલ માત્ર નામની જ કેનાલ છે.

કેનાલમાં છેલ્લે મરામત બાદ ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવ્યુ હતુ

ગત વર્ષે ખેડૂતોની રજૂઆત બાદ તંત્રએ 25 વર્ષોથી સૂકી ભઠ્ઠી રહેલી આ કેનાલની મરામત કરાવી હતી અને તે દિવસે ટેસ્ટિંગ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. એ દિવસને આજની ઘડી સુધી ખેડૂતોએ ફરી ક્યારેય કેનાલમાં પાણીનું ટીપુ પણ જોયુ નથી. સિંચાઈના પાણી માટે તરસત ખેડૂતો રજૂઆત કરી કરીને થાક્યા, પરંતુ તેમની રજૂઆત તરફ કોઈ ધ્યાન દેવામાં આવતુ નથી.

સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોનો પાક સૂકાવાના આરે

વારંવારની રજૂઆત બાદ ખેડૂતોને મળે છે તો માત્ર વાયદા. પાણી મળતુ નથી. તંત્ર દ્વારા વાયદો કર્યા બાદ પણ પાણી ન આપતાં ડેસર તાલુકાના શિહોરા, પ્રતાપપુરા અને વરણોસી સહિતના આસપાસના અનેક ગામના ખેડૂતો પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે. પાણી વગર ખેડૂતોનો તમાકુ, કપાસ, દિવેલા અને મરચાં સહિતનો પાક અને ઘાસચારો સુકાઇ રહ્યો છે.

શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી
Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો

અધિકારીઓ માત્ર હૈયાધારણા આપી છૂટી જતા હોવાનો ખેડૂતોનો આરોપ

ગત વર્ષે ટેસ્ટિંગ બાદ અધિકારીઓએ કેનાલમાં નિયમિત પાણી આપવાની ખેડૂતોને હૈયાધારણા આપી હતી, પરંતુ આજ દિવસ સુધી કેનાલમાં પાણી છોડાયું નથી. મહત્વની વાત એ છે કે ડેસરના મોટાભાગના વિભાગોમાં પાણી પહોંચાડાયું છે પણ આ વરણોલી શિહોરા કેનાલ હજુ કોરી કટ જ છે. તંત્રને અનેક રજૂઆતો કર્યા બાદ પણ પાણી ન મળતા હવે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાવલી અને ડેસર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરોમાંથી કેનાલો પસાર થાય છે. પરંતુ વર્ષોના વહાણા વીતી ગયા છતાં પાણીનું એક પણ ટીપું કેનાલોમાં નથી આવ્યું. જેના કારણે આ કેનાલ ધોળા હાથી સમાન સાબિત થઇ રહી છે.

પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
g clip-path="url(#clip0_868_265)">