Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ

પરિસ્થિતિ વધુ વણસે તેવા એંધાણ વર્તાતા ખુદ પોલીસ કમિશનર શમશેરસિંઘ, એડિશનલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા, DCP ઝોન2 સહિતના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG સહિતની ટીમો પહોંચી ગઇ હતી અને લોકોના ટોળાને વિખેરી નાખ્યા હતા.

Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ
Unrest erupts again in Vadodara after rioting mob breaks up idol violent clash between two com mobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 9:22 AM

દેશ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રવર્તેલી અશાંતિનો માહોલ વડોદરા (Vadodara) માં પણ જોવા મળ્યો. તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરી નાખી હતી. શહેરના રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે કોમના ટોળા (mobs) વચ્ચે હિંસક અથડામણ બાદ મોટી સંખ્યામાં પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ વડોદરાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનાની વાત કરીએ તો રાવપુરાના ટાવર અને અમદાવાદી પોળ નજીક બે વાહનો વચ્ચે અકસ્માત જેવી સામાન્ય બાબતે જોતજોતામાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયાં હતાં. પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ શરૂ થઈ ગઈ હતી. બીજીતરફ પથ્થરમારાની ઘટના બાદ અફવા ફેલાતા રાવપુરાની ગલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. તોફાની ટોળાએ વાહનોની તોડફોડ અને ઘરોને નિશાન બનાવ્યા હતા. એક તોફાની ટોળાએ જોગીદાસ વિઠ્ઠલની પોળમાં સાઈનાથ મંદિરને નિશાન બનાવી મૂર્તિની તોડફોડ કરી હોવાનો સ્થાનિકોનો દાવો છે. પોલીસનું કહેવું છે કે સામાન્ય બાબતમાં બે ટોળા સામસામે આવી ગયા હતા. તોફાનીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાવપુરા ટાવર રોડ પર છમકલું થતાં જ રાવપુરાના પીઆઇ સહિત પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટોળાઓએ આસપાસની ગલીઓમાં તોડફોડ શરૂ કરી દીધી હતી જેને પગલે આસપાસના પોલીસ મથકોમાં હાજર પોલીસ કાફલો મદદે પહોંચ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તેવા એંધાણ વર્તાતા ખુદ પોલીસ કમિશનર શમશેરસિંઘ, એડિશનલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા, DCP ઝોન2 સહિતના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG સહિતની ટીમો પહોંચી ગઇ હતી અને લોકોના ટોળાને વિખેરી નાખ્યા હતા. ઘટનાને પગલે રાવપુરા પોલીસ મથકે તોફાનીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનામાં બનાવને પગલે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી બંને કોમના ટોળાં એકત્ર થતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. ટોળાંએ કોઠી પોળની સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરી પથ્થરમારો કરીને 10થી વધુ વાહનો તેમજ લારીઓની તોડફોડ કરી હતી. આ અથડામણમાં 4 લોકોને ઇજા પહોંચી હતી. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ઉપરાંત વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરી દેવાઇ હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચોઃ TV9 IMPECT: ભાવનગરમાં જર્જરિત શાળાઓનું સમારકામ શરૂ કરાયું

આ પણ વાંચોઃ WHOના વડા આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે, રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમમાં આપશે હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">