Vadodara: પાકિસ્તાનથી 200 માછીમારોનો છુટકારો, 5 જૂને વડોદરા સ્ટેશને પહોંચશે

પાકિસ્તાને દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પકડ્યા બાદ તમામને જેલ હવાલે કર્યા હતા. મહત્વનુ છે કે 4 વર્ષ બાદ આ તમામ લોકોનો છૂટકારો થયો છે, જે 5 જૂને ગુજરાત આવશે.

Vadodara: પાકિસ્તાનથી 200 માછીમારોનો છુટકારો, 5 જૂને વડોદરા સ્ટેશને પહોંચશે
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:46 PM

Vadodara: પાકિસ્તાન દ્વારા અપહરણ કરી  કબજામાં રાખવામાં આવેલ ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા 200 ભારતીય માછીમારો  (Fisherman)  મુક્ત થઈ વતન પરત આવશે. ભારત સરકાર તથા ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાન ખાતે કબજામાં રહેલા ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા ગુજરાત રાજ્યના 171 માછીમારો સહિત 200 માછીમારો તા. 2 જુન 2023 ના રોજ મુક્ત થયા છે. જે તારીખ 5 જુનના રોજ સાંજ સુધીમા તેઓના માદરે વતન પરત આવશે.

પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરવામાં આવેલ 200 માછીમારોને તારીખ 2 જૂનના રોજ વાઘા બોર્ડર ખાતેથી ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ, ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા તેઓને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી ટ્રેન મારફત વડોદરા ખાતે લાવવામાં આવશે. મુક્ત કરવામા આવેલ 200 માછીમારો હાલ તદુંરસ્ત સ્થિતીમાં હોવાનું પણ સામે આવ્યુ છે. તથા વડોદરા ખાતેથી બસ મારફત તારીખ 5 જૂનના  રોજ સાંજ સુધીમાં વેરાવળ પહોંચાડી તેઓના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે.

લાંબા સમય સુધી પાકિસ્તાનની જેલમાં રહેલ પછીમારો મુક્ત થઈ વતન પરત આવવાના હોવાથી માછીમારોના પરિવારજનોમાં તથા ગીર-સોમનાથ, દેવભુમી દ્વારકા, પોરબંદર, નવસારી અને જુનાગઢ જિલ્લાના માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પણ વાંચો : વડોદરામાં રાજ્ય સૌથી લાંબા અટલ બ્રિજની વરસાદને કારણે દીવાલ તૂટી, તંત્રની ખુલી પોલ!

આ માછીમારોનું 4 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થશે. જે બાદ પણ દીવના હજુ 26 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમાર અગ્રણીઓ પાકિસ્તાની જેલમાં બંધ દીવના 26 માછીમારોને કેન્દ્ર સરકાર વહેલી તકે મુક્ત કરાવે તેવી માગ કરી રહ્યાં છે. પાકિસ્તાને જેલમાંથી  ગુજરાતના 172 સહિત 200 માછીમારો મુક્ત કર્યા છે. જેમાં દીવના 15 માછીમારો છે. જેમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટીએ 2018થી 2020 દરમિયાન તમામ માછીમારોને ઝડપી પાડ્યા હતા. આ માછીમારોનું 4 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થશે. જે બાદ પણ દીવના હજુ 26 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમાર અગ્રણીઓ પાકિસ્તાની જેલમાં બંધ દીવના 26 માછીમારોને કેન્દ્ર સરકાર વહેલી તકે મુક્ત કરાવે તેવી માગ કરી રહ્યાં છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
g clip-path="url(#clip0_868_265)">