PM MODIના કાર્યક્રમ માટે હાઈટેક ડોમ તૈયાર કરાયો, 5 લાખ લોકો રહી શકશે ઉપસ્થિત

મિશન ગુજરાતના (Mission Gujarat) ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વતનની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરા પહોંચશે.

PM MODIના કાર્યક્રમ માટે હાઈટેક ડોમ તૈયાર કરાયો, 5 લાખ લોકો રહી શકશે ઉપસ્થિત
પ્રધાન મનીષા વકીલે PMના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) આગામી ગુજરાત પ્રવાસને લઈને થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને ગુજરાત (Gujarat) પ્રવાસે આવવાના હતા. હવે વડાપ્રધાન મોદી 17 અને 18 જૂને પંચમહાલ અને વડોદરા (Vadodara) જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરાની મુલાકાત લેશે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે  હાઈટેક ડોમ તૈયાર કરાયો છે. વડાપ્રધાનના આગમનને પગલે થઇ રહેલી તૈયારીઓનું પ્રધાન મનીષા વકીલે નીરિક્ષણ કર્યુ હતુ.

એશિયાનો સૌથી હાઈટેક ડોમ તૈયાર કરાયો

મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરા પહોંચશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

પ્રધાન મનીષા વકીલે કરી તૈયારીઓની સમીક્ષા

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે  હાઈટેક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 2 લાખ મહિલાઓ સહિત 5 લાખની જંગી જનમેદની ઉપસ્થિત રહેવાની છે. જેને ધ્યાને રાખીને હાઇટેક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલે PMના પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે પણ સંવાદ કરવાના છે. PM મોદીના પ્રવાસને લઈ સંબંધિત તમામ વિભાગો તડામાર તૈયારીઓમાં લાગ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પાવાગઢ મંદિરની પણ મુલાકાત લેશે PM

આ ઉપરાંત 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે. જ્યાં સવારે 9-15 કલાકે પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે. ત્યારબાદ તેઓ 11.30 કલાકે પાવાગઢ નજીક વિરાસત વનની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનના પગલે પાવાગઢ મંદિરના દર્શનાર્થીઓ માટે 16 જૂનથી 18 જૂન બપોરે 3 કલાક સુધી મંદિર બંધ રાખવામાં આવશે. વડાપ્રધાન 18 જૂનના રોજ પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ કરવાના છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમને પગલે મંદિર બે દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઈને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનું માર્ગદર્શન આપતા રહેશે.

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">