અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે

3 મોત બાદ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે તેમણે ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો, આ ઘટના બાદ આજે ફરી એક વીડિયો બહાર આવ્યો છે તેમાં તે કહે છે કે ભય વિના પ્રિતી નથી,

અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે
અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 7:20 PM

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરે ટક્કર મારતાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં જે અંગે ગઈકાલે કેન્દ્રના પૂર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. આ ઘટના બાદ આજે ફરી એક વીડિયો (video) બહાર આવ્યો છે તેમાં તે કહે છે કે ભય વિના પ્રિતી નથી, ભય તે બતાવવો જ પડે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે મને પણ રેતી માફિયાઓથી જોખમ છે.

ગઈ કાલે નારેશ્વર રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરે ટક્કર મારતાં બાઈક સવાર 3 લોકોના મોતની ઘટના બાદ સ્થળ પર પહોંચેલા સાંસદ મમસુખ વસાવાનો અધિકારીઓને ધમકાવતો વીડિયો વાઇરલ થયો હતો અને આ ધમકીને પગલે અધિકારીઓએ સાંસદની સામે આવેદન પણ આપ્યું હતું.

આજે મનસુખ વસાવા ઝઘડિયા (zaghadiya) માં જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, ત્યાં તેમણે આ કિસ્સો યાદ કરતાં કહ્યું હતું કે કાલની ઘટના વખતે લોકો એમ કહેતાં હતાં કે મનસુખભાઈ ક્યાંક અધિકારીઓને મારી લેશે, પણ હું એટલો તો સમજદાર છું કે આવું ન કરું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમણે ઘટના યાદ કરતાં કહ્યું કે ત્રણ લોકો સ્થળ પર મરી ગયાં, એટલા બેફામ પ્રમાણે ડમ્પર ચાલે કે રાહદારી ભયથી ધ્રૂજે, તો શું નાના વાહનવાળાએ ધ્યાન રાખવાનું? ડમ્પરે ત્રણ લોકોને કચડી નાખ્યા. એ દૃશ્ય ન જોવાય શકે, રાત્રે ગામના 400થી 500 લોકો અકઠા થઈ ગયા. પોલીસ સીવાય કોઇ અધિકારી ત્યાં ગયો નથી. મને રાત્રે ફોન પર ફોન આવે, મારો ડ્રાઈવર જતો રહ્યો હતો તેથી હું કેવી રીતે જાઉ, મારે પણ સિક્યોરીટિ તો જોવી પડે ને. આ તો રેત માફિયા છે શું નું શું કરી શકે. કારણ કે હું તો તેમની આંખમાં જ છું, મારી માથે પણ ડમ્પરીયું ચાડાવી દે. છતાં હું ત્યાં પહોંચી ગયો. અધિકારીઓને ત્યાં બોલાવ્યા. ત્યાં અવેલા અધિકારીઓની મારે કંઈ આરતી ઉતારવાની હોય?

હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાંથી ત્રણેય ડેડબોડી ઉઠાવી લેવાઈ હતી. ત્રણેય જગ્યાએ લોહીના ધબ્બા પડેલાં હતાં. લોકો ફૂલહાર લઈને આવ્યા હતા. મને કહ્યું કે સાહેબ આ ફૂલ ચડાવી દો. તો મે લોહીના ધબ્બા પર ફૂરહાર મૂક્યા. પણ આ અધિકારીઓની માનસિકતા તે જુઓ. હું ફૂલ ચડાવતો હતો અને આ અધિકારીઓ ખિસ્સામાં હાથ નાખીને આમ તેમ ફર્યા કરતા હતા. મારો તો ત્યારે જ પિત્તો ગયો હતો, પણ મને એમ કે છોડોને ભાઇ, આપણે અત્યારે કામ માટે આવ્યા છીએ, આપણે તેની સાથે કામ લેવાનું છે.

એ લોકો આમ તેમ આટા મારતા હતા, દૂર દૂર પેલા રેતી માફિયાના એજન્ટો ફરતાં હતા અને આ આધિરાકારીઓની એમના તરફ નજર હતી. પેલા ટકાવારીવાળા હોયને એટલે ડર તો લાગેને એટલે મેં કીધું અને હજુ પણ કહું છું કે રેતી સાથે જોડાયેલા તંત્રમાં નિયમિત હપ્તા મળે છે અને તેથી જ આ 3 લોકોનાં મોત થયાં છે. આ પહેલાં પણ આવી ઘણી ઘટના બની ચૂકી છે.

મારા વિસ્તારમાં આવી બેફામ વાહનો ચાલતાં હોય તેને નહીં છોડું. તેઓ ભલે ધંધો કરે, રોયલ્ટી લઈને કરે, મને તેની સામે કોઈ વાંધો નથી. ગઈ કાલે નારેશ્વરની આસપાસ 50થી 60 ટ્રકો રોયલ્ટી વગરની હતી. મે અધિકારીઓને કહ્યું કે પંચનામું કરો, પણ તેમને ડર લાગતો હતો કેમ કે પેલા રેતી માફિયા ત્યાં ફરતા હતા.

આ પણ વાંચોઃ Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">