વડોદરાઃ SSG હોસ્પિટલના કોરોના વૉરિયરનું કોરોનાથી થયું મોત, નર્સિંગ સ્ટાફમાં છવાયો શોક
વડોદરામાં SSG હોસ્પિટલના કોરોના વોરિયરનું કોરોનાથી મોત થયું છે. 44 વર્ષીય બ્રધર દયારામ વસાવા 15 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા. તેઓ કોરોનાના કપરા કાળમાં અમદાવાદ ખાતે પણ સેવા આપવા ગયા હતા. તેમના નામ પ્રમાણે તેમનો સ્વભાવ પણ દયાળું હતો. જેના કારણે હોસ્પિટલમાં સૌ કોઈ તેમને માન-સન્માન આપતું હતું. હવે જ્યારે તેઓ સૌ કોઈને છોડીને ચાલ્યા […]
વડોદરામાં SSG હોસ્પિટલના કોરોના વોરિયરનું કોરોનાથી મોત થયું છે. 44 વર્ષીય બ્રધર દયારામ વસાવા 15 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા. તેઓ કોરોનાના કપરા કાળમાં અમદાવાદ ખાતે પણ સેવા આપવા ગયા હતા. તેમના નામ પ્રમાણે તેમનો સ્વભાવ પણ દયાળું હતો. જેના કારણે હોસ્પિટલમાં સૌ કોઈ તેમને માન-સન્માન આપતું હતું. હવે જ્યારે તેઓ સૌ કોઈને છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે સૌ કોઈ શોકની લાગણી અનુભવી રહ્યું છે. SSGના પીએમ રૂમ ખાતે તબીબો અને નર્સિંગ સ્ટાફે તેમની ફુલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમના પરિવારને સરકારી નિયમો પ્રમાણે 50 લાખની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો: વધતા કોરોના સંકટને લઈ સુપ્રીમ કોર્ટ નારાજ, ચાર રાજ્યો પાસે દર્દીઓને અપાતી સુવિધાનો રિપોર્ટ માગ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો