AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાઓ વિશે જાણો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈને સરકાર દ્વારા પણ સુરક્ષાની તૈયારી કરી દેવાઈ છે તો મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી છે.મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને ખાસ કરીને કોઈ દૂર્ઘટના ના બને તે માટે મંદિર પ્રશાસને દોઢ કરોડનો વિમો પણ લીધો છે. Facebook પર તમામ […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાઓ વિશે જાણો
Gautam Parmar
| Edited By: | Updated on: Jul 04, 2019 | 6:39 AM
Share

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈને સરકાર દ્વારા પણ સુરક્ષાની તૈયારી કરી દેવાઈ છે તો મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી છે.મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને ખાસ કરીને કોઈ દૂર્ઘટના ના બને તે માટે મંદિર પ્રશાસને દોઢ કરોડનો વિમો પણ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. આ રથયાત્રાને લઈને એક મોટા પ્રસાદ વિતરણની પણ તૈયારી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મગનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મંદિર પહેલાં જૂનું હતું બાદમાં તેનો જીર્ણોદ્વાર કરાયો અને 2000ની સાલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ વિશેષ નામો દરેક રથને આપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજીનો જે રથ છે તેને નંદિઘોષ કહેવામાં આવે છે. બલભદ્રજીનો જે રથ છે તેને તલધ્વજ કહેવાય છે અને સુભદ્રાજીનો જે રથ છે તેને કલ્પધવ્જ નામે ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથજીનો રથ લાલ અને પીળા રંગનો, બલભદ્રજીના રથનો રંગ લાલ અને ભૂરો તો સુભદ્રાજીના જે રથ હોય છે તેનો રંગ લાલ અને શ્યામ હોય છે.

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

રથયાત્રાની શરુઆત એક સોનાની સાવરણીથી રસ્તાને સાફ કરીને થાય છે. આ કામ રાજ્યના મુખ્યપ્રધાન કરે છે. જેને પણ એક નામ આપવામાં આવ્યું છે. તે પહિંદવિધિવના નામે ઓળખવામાં આવે છે. રથયાત્રા છે તેનો પ્રસાદ પણ એવી રીતે બનાવવામાં આવે છે કે આરોગ્યને લાભ થાય. પ્રસાદમાં મોટા પ્રમાણમાં મગ અને જાંબુ વહેંચવામાં આવે છે. હાલ અમદાવાદથી ગુજરાતમાં 72 ગામડાઓ અને શહેરોમાંથી આ યાત્રા કાઢવામાં આવે છે.

અમદાવાદમાં રથયાત્રામાં લાખો લોકો જોડાય છે પણ અમદાવાદ બાદ જો વાત કરીએ તો સૌથી મોટી રથયાત્રા ભાવનગર અને વલસાડમાંથી નીકળે છે. ભાવનગરમાં પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત અમદાવાદની જેમ ગોઠવી દેવાઈ છે.

[yop_poll id=”1″]

અમદાવાદ સિવાય દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિશાના જગન્નાથ પુરીમાં નીકળે છે. જેને ઘોષયાત્રાના નામથી ઓળખવામાં આવે છે. જગન્નાથની રથયાત્રા માટે દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે. ટૂંકમાં તેને ફરીથી રંગરોગાન કરવામાં આવે છે. અમદાવાદનમાં જગન્નાથજી ભગવાન એક દિવસમાં નગરચર્યા કરીને પરત આવી જાય છે જ્યારે ઓડિસાના પુરીમાં તેઓ 10 દિવસ બાદ પરત ફરે છે.

અમદાવાદમાં ભગવાન મોસાળમાં એટલે કે પોતાના મામાને ત્યાં રોકાઈ છે અને ઓડિસામાં જે યાત્રા નીકળે છે તેમાં ભગવાન પોતાની માસીને ત્યાં રોકાઈ છે. આમ રથયાત્રા પોતાની અવનવી વાતોને લઈને એક ઐતહાસિક મહત્વ ધરાવે છે. અમદાવાદમાં આ રથયાત્રામાં અનેક લોકો જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">