AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો, રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ

સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 30 ટકા થાય છે. છેલ્લા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે. 7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં કોરોના કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો, રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ
corona test (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:51 AM
Share

સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના(Corona) ના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. સુરતમાં કોરોનાના કેસ ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. 20 જાન્યુઆરીએ એક જ દિવસમાં સુરત શહેરમાં કોરોનાના (Corona Case) 2981 કેસ નોંધાયા છે. આ સાથે અઠવા ઝોનમાં બે દર્દીના મોત(death) થયા છે.

સુરતમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધતુ જઇ રહ્યુ છે. 20 જાન્યુઆરીએ સુરતમાં કોરોનાના નવા 2981 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે 2042 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેર અને જિલ્લામાં નવા કુલ 3709 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,49,177 પર પહોંચ્યો છે. જ્યારે 2 મોત સાથે મૃત્યુઆંક વધીને 1643 થયો છે. હાલ સુરત શહેરમાં કુલ 22,862 એક્ટિવ કેસ છે. જેમાંથી 434 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 30 ટકા થાય છે. છેલ્લા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે. 7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં કોરોના કેસ નોંધાયા છે. 9 કોરોના કેસ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. 15 વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.

રાજયમાં 20 જાન્યુઆરીએ ફરી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ફરી રાજયમાં કોરોનાના કેસ 20 હજારને પાર પહોંચ્યો છે. રાજયમાં આજે કોરોનાના નવા 24,485 કેસ નોંધાયા છે. અને, કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24,485 કેસ નોંધાયા છે. અને બીજી લહેરની પીક પણ તોડી નાંખી છે. 18 જાન્યુઆરીએ 17,119 કેસ. 19 જાન્યુઆરીએ 20,966 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં જ 62,550 નવા કેસ નોંધાયા છે.

રાજ્યના મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 9,837 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ 2,981 નવા દર્દી મળ્યા. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 2,823 નવા મામલા સામે આવ્યા. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1,333 કેસ નોંધાયા.

આ પણ વાંચો-

PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

આ પણ વાંચો-

કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે અમદાવાદમાં, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 19ના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">