Tapi : વ્યારાનો પરિવાર શિરડી દર્શન કરવા ગયો અને ઘરે 6.69 લાખ મત્તાની ચોરી, પોલીસને જાણભેદુ હોવાની શંકા
સ્થાનિકો અને પરિવારના(Family ) મતે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ જ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે સમગ્ર ઘટના અંગે પોલીસે સ્થાનિકો અને પરિવારજનોના નિવેદન લઈને ચોરીની ફરિયાદ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
વ્યારાના (Vyara ) રાયકવાડ વિસ્તારમાં રહેતો કાયસ્થ પરિવાર મહારાષ્ટ્રના(Maharastra ) શિરડી અને સપ્તશૃંગી મંદિરે (Temple ) દર્શનાર્થે ગયો હતો. જેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરનું તાળું તોડી રોકડા ચાર લાખ એકાવન હજાર અને સોના- ચાંદીના દાગીના રૂપિયા બે લાખ અઢાર હજા૨ મળી કુલ 6.69 લાખની મત્તાની ઘરફોડ ચોરી થઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી
વ્યારા રાયક્વાડ વિસ્તાર ખાતે હિતેશ કાયસ્થ પરિવાર સાથે રહે છે અને પોતાના કોમ્પ્યુટરના વેપાર સાથે એનજીઓ પણ ચલાવે છે. હિતેશ કાયસ્થ તેમના પરિવાર સાથે તા.17 જુન ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કાર માં સહપરિવાર સાથે શિરડી ખાતે દર્શન કરવા માટે નીકળ્યા હતા અને તારીખ 18 જુનના રોજ મળસ્કે શિરડી પહોચી ગયા હતા અને ત્યાંથી દર્શન કરી શનિદેવ અને ત્યારબાદ નાસિક પંચવટી ખાતે દર્શન કરી તેઓ રસ્તામાં હતા તે સમયે હિતેશભાઈના મોબાઈલ ફોન પર તેમના ભાભીનોફોન આવેલો અને જણાવ્યું હતું કે સુરત તેમના પિતરાઈ ભાઈના છોકરાને ત્યાં શ્રીમંતનો કાર્યક્રમ હોવાથી તેઓ પોતાના પતિ મનીષ કાયસ્થ સાથે સુરત જાઉં છું અને ઘરની ચાવી હિરેનભાઈને ત્યાં આપી જાઉં છું તેમ જણાવ્યું હતું.
કાયસ્થ પરિવારે સપ્તશૃંગી પહોંચી રાત્રી રોકાણ કર્યું હતું. તા.19 જુન રોજ સવારના સપ્તશૃંગી ના દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન સવારે પોણા નવેક વાગે તેમના કાકા દિલીપ ચીમન કાયસ્થનો ફોન આવેલ અને તેમણે હિતેશને કહ્યું હતું કે,તમારા ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે અને ઘરમાં મુકેલ કબાટો પણ ખુલ્લા છે. તેમજ કબાટનો સરસામાન વેર વિખેર પડ્યો છે. ઘરમાં ચોરી થઇ છે એવું ફોન પર જણાવ્યું હતું.
જોકે નગરના વચ્ચે આવેલ બંધ મકાનમાં ચોરો હાથફેરો કરી ગયા તે અંગે પોલીસને પણ શંકા છે. કારણ કે સ્થાનિકો અને પરિવારના મતે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ જ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે સમગ્ર ઘટના અંગે પોલીસે સ્થાનિકો અને પરિવારજનોના નિવેદન લઈને ચોરીની ફરિયાદ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Input by Nirav Kansara