AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi : વ્યારામાં યોજાયેલા જિલ્લા કક્ષાના “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમમાં 38.21 કરોડના કુલ 33 કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

છેલ્લા બે દાયકામાં વિકાસના કામો થવાથી આજે ગુજરાત આખા દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે પ્રખ્યાત થયું છે.

Tapi : વ્યારામાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં  38.21 કરોડના કુલ 33 કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
District level "Viswas to Vikas Yatra" program was held in Vyara
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 8:50 AM
Share

સમગ્ર રાજ્યમાં ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ ચાલી રહી છે તે અંતર્ગત તાપી(Tapi ) જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી(Minister ) મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા ની ઉપસ્થિતિમાં તાપીના વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે તાપી જિલ્લા કક્ષાએ રૂા. 38.21 કરોડના કુલ 33 વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ”ના મંત્ર ને ચરિતાર્થ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

તેઓએ ઉમેર્યું હતું કે દેશના તમામ લોકોને સાથે રાખી “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. લોકોની પાયાની જરૂરિયાતો અને સમસ્યાઓ હલ કરીને જન જન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને દેશ સમૃદ્ધ થાય તેવી ઉમદા ભાવના સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દેશને વિશ્વ ગુરુ બનાવવા આપણે સૌએ એક બનીને કામ કરવાનું છે. આપણો ભારત દેશ વૈશ્વિક ઓળખ ઉભી કરી નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં સરકારે પ્રજાની સુખાકારી અને વિકાસ માટે ઘણા કાર્યો કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ, મહિલાઓ, બાળકો સહિત છેવાડાના માનવીઓની ચિંતા કરી છે. શિક્ષિતો માટે રોજગાર, ખેડૂતો માટે સિંચાઈ, વીજળી, જંગલ જમીન, શૈક્ષણિક ઉત્થાન, સાયન્સ કોલેજો જેવા અનેક કામો કરીને આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યો છે.

આ યાત્રાના બીજા દિવસે તાપી જિલ્લા કક્ષાએ કુલ 38.21 કરોડના કુલ 33 કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે ફર્ક જોઈ શકાય છે. તે સમયે વીજળી, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓની હાલત પણ કફોડી હતી, પણ છેલ્લા બે દાયકામાં વિકાસના કામો થવાથી આજે ગુજરાત આખા દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે પ્રખ્યાત થયું છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">