સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને ફાળવે તેવી માંગ ઉઠી, રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી છે દાવેદારી

|

Mar 19, 2024 | 5:25 PM

ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અગ્રણી રણછોડ ઉધરેજાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે. તો સુરેન્દ્રનગર બેઠક એ ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે, ત્યારે આગામી લોકસભાની ટિકિટ ચુવાળિયા કોળી સમાજને આપવામાં આવે તેવી અમારી માંગ છે.

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને ફાળવે તેવી માંગ ઉઠી, રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી છે દાવેદારી
Surendranagar

Follow us on

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. જેમાં મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો પૈકી 5 બેઠકોમાં નામની જાહેરાત કરી છે, તેને જોતા આ જાતિગત સમીકરણ પર પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. આ વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે

ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અગ્રણી રણછોડ ઉધરેજાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે. કોળી સમાજમાં પણ જે રીતે પેટા જ્ઞાતિઓ છે, તેમાં ભાવનગરમાં તળપદા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે. જુનાગઢ બેઠક પર ઘેડિયા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે, સુરેન્દ્રનગર બેઠક એ ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે ત્યારે આગામી લોકસભાની ટિકીટ ચુવાળિયા કોળી સમાજને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ચુવાળિયા કોળી સમાજને હંમેશાથી અન્યાય થયો છે. હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ચુવાળિયા કોળી છે, જ્યારે તે પહેલાના સાંસદ દેવજી ફતેપરા પણ ચુવાળિયા કોળી છે. ત્યારે આ બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને જ આપે તેવી માંગ કરાઇ છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી દાવેદારી

એક તરફ સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજને આપવાની માંગ કરાઇ છે, ત્યારે ચુવાળિયા કોળી સમાજના અગ્રણી દેવ કોરડિયાએ ટિકિટની માંગ કરી છે. દેવ કોરડિયા સૌથી નાની વયના સરપંચ રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી છે. દેવ કોરડિયા ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. યુવાઓને ટિકિટ ફાળવવાની નેમમાં દેવ કોરડિયાને ટિકીટ આપવામાં તેવી માંગ કરાઇ છે.

Published On - 5:06 pm, Tue, 19 March 24

Next Article