Surat : “સ્માર્ટ સીટી “સુરત બન્યું “ખાડા સીટી” : મેયર ડેશબોર્ડ પર ફરિયાદોનો ઢગલો

શહેરના ભાગ્યે જ કોઈ માર્ગ એવા હશે જ્યાં ખાડા જોવા મળ્યા ન હોય. વરસાદ અટકી અટકીને આવતા કોર્પોરેશનને પણ રસ્તાઓના સમારકામ માટે સમય મળી નથી રહ્યો. તેમજ જે કામ થઇ રહ્યું છે તે પણ તકલાદી થયું હોવાનું સામે આવ્યું છે.

Surat : સ્માર્ટ સીટી સુરત બન્યું ખાડા સીટી : મેયર ડેશબોર્ડ પર ફરિયાદોનો ઢગલો
Widespread complaint of broken roads in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 4:11 PM

Surat: શહેરીજનોની ફરિયાદોનો નિકાલ લાવવા માટે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર (Mayor ) હેમાલી બોઘાવાળા દ્વારા મેયર હેલ્પ ડેસ્ક (help desk ) શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ માધ્યમો થકી મળી રહેલી ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ તેમાં વધારે ફરિયાદો ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તા અને રોડ પર પડી ગયેલા ઠેર ઠેર ખાડા બાબતની છે.

મેયર દ્વારા ફરિયાદોનું રીવ્યુ કરાતા શહેરના અલગ અલગ ઝોનમાં ખાસ કરીને કતારગામ ઝોનમાં તૂટેલા રસ્તા બાબતની ફરિયાદો હજી પણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. જેથી મેયરે અધિકારીઓનો ઉધડો લીધો હતો. અને અધિકારીઓને બોલાવીને ચાર દિવસમાં તમામ ફરિયાદોનો નિકાલ લાવવા ફરી રિપોર્ટ કરવા પણ આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને શહેરના રસ્તાઓની હાલત અત્યંત બિસમાર બની ગઈ છે. શહેરના ભાગ્યે જ કોઈ માર્ગ એવા હશે જ્યાં ખાડા જોવા મળ્યા ન હોય. વરસાદ અટકી અટકીને આવતા કોર્પોરેશનને પણ રસ્તાઓના સમારકામ માટે સમય મળી નથી રહ્યો. તેમજ જે કામ થઇ રહ્યું છે તે પણ તકલાદી થયું હોવાનું સામે આવ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મેયરના આદેશ બાદ હવે અલગ અલગ ઝોનના અધિકારીઓએ રસ્તાના રિપેરિંગનું શિડ્યુલ બનાવીને તમામ રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરી છે. આવી જ ફરિયાદ સુરતના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારની પણ છે. ત્યાં પણ વેપારીઓએ સુરત મહાનગરપાલિકાને પત્ર લખીને રસ્તાઓનું રીપેરીંગ કામકાજ તાકીદે હાથ ધરવા અપીલ પણ કરી છે.

વેપારીઓનું કહેવું છે કે માર્કેટ એરિયામાંથી રોજના હજારો વાહનો, માલવાહક ટેમ્પાઓ પસાર થાય છે. તેવામાં સૌથી વધારે ટેક્ષ પણ સુરત કોર્પોરેશનને વેપારીઓ તરફથી આપવામાં આવે છે. તેવામાં રસ્તાઓની બિસમાર હાલતથી અહીં ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થઇ રહે છે.

ત્યારે હવે મેયર ડેસ્ક બોર્ડ પર પણ તૂટેલા રસ્તાઓની અસંખ્ય ફરિયાદોનો ઢગલો આવતા મેયર દ્વારા પણ હવે એક્શનમાં આવીને આ અંગે તાકીદે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં લગભગ 150 કરતા પણ વધુ રસ્તાઓ બિસમાર બન્યા હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકા પાસે આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે શહેરીજનોની ખાડા બાબતની ફરિયાદોનું નિરાકરણ ક્યારે આવે છે.

આ પણ વાંચો :

Surat : કોરોના સામે લડીને સાજા થયા બાદ બ્રેઈનડેડ થયેલ વ્યક્તિએ, ફેફસાં, કિડની, લિવર, ચક્ષુદાન કરીને છ વ્યક્તિને આપ્યુ નવજીવન

આ પણ વાંચો :

Surat : માનવતા નેવે મુકાઈ, અધૂરા માસે જન્મેલા બાળકને ત્યજીને માતા ફરાર, નવજાત બાળકનુ મોત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">