શિવસેનાના ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી એરલિફ્ટ કરવાની તૈયારી, ત્રણ ચાર્ટર્ડ પ્લેન સુરત એરપોર્ટ પર તૈયાર

શિવસેનાના 35 ધારાસભ્ય તેમના OSC અને ઓફિસરો સહિત 65 લોકોને બસમાં એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. હોટેલથી 3 બસો મારફતે આ તમામને સુરત એરપોર્ટ લાવવામાં આવશે. જ્યાંથી તેઓ આસામ જવા રવાના થશે.

શિવસેનાના ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી એરલિફ્ટ કરવાની તૈયારી, ત્રણ ચાર્ટર્ડ પ્લેન સુરત એરપોર્ટ પર તૈયાર
Shiv Sena MLAs in Surat's hotel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 11:29 PM

મહારાષ્ટ્રના રાજકીય ગરમાવો (Maharashtra Political Crisis)વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતની લે મેરીડિયન હોટલમાં, જ્યાં શિવસેના સામે બળવો કરનાર નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde Shiv Sena) અને તેમના સમર્થક ધારાસભ્યો રોકાયા છે, તેઓને આસામની રાજધાની ગુવાહાટીમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમને મધ્યરાત્રિએ અહીંથી એરલિફ્ટ (Airlift from surat to guwahati) કરીને લઈ જવામાં આવશે. લગભગ 12:30 પછી તેમને લઈ જવામાં આવશે. આ ધારાસભ્યોને અહીંથી લેવા માટે ત્રણ ચાર્ટર્ડ પ્લેન સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે. સ્પાઈસ જેટના ત્રણ ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને આ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે.

ગુજરાત મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય હોવાના કારણે ત્યાં રોકાતા ધારાસભ્યોમાં ખળભળાટ મચી ગયો છે. એક ધારાસભ્ય કૈલાશ પાટીલ મુંબઈ પરત ફર્યા છે. આવી સ્થિતિમાં આ ધારાસભ્યોને મહારાષ્ટ્રથી દૂર લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. બળવાખોર ધારાસભ્યો અને તેમના પીએ સાથે કુલ 65 લોકો હોવાનું કહેવાય છે. 3 બસો પણ લે મેરીડિયન હોટેલ પહોંચી ગઈ છે. એરપોર્ટ પર 3 ચાર્ટર્ડ પ્લેન હાજર છે. આ ધારાસભ્યોને કડક સુરક્ષામાં સુરત એરપોર્ટ પર લઈ જવામાં આવશે અને ત્યાંથી આ તમામ ધારાસભ્યો ટેક ઓફ કરશે.

શિવસેનાના 35 ધારાસભ્ય તેમના OSC અને ઓફિસરો સહિત 65 લોકોને બસમાં એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. હોટેલથી 3 બસો મારફતે આ તમામને સુરત એરપોર્ટ લાવવામાં આવશે. તેઓ પાસે સામાન વધુ હોવાથી તમામ લોકોને બસમાં લાવામાં આવશે. આ બસો સુરત એરપોર્ટના પાછળના રસ્તેથી લઈ જવાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત જાણવા મળી રહી છે. સુરત પોલીસ કમિશનરે પણ એરપોર્ટની વિઝટ કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેને સાથ આપનારા ધારાસભ્યો સામે શિવસેના કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે રાજનીતિમાં કંઈ પણ શક્ય છે. અમે માત્ર રાહ જોઈ રહ્યા છીએ અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એકનાથ શિંદે કે ભાજપે સરકાર બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો નથી. અત્યાર સુધી એવી સ્થિતિ સર્જાઈ નથી કે અવિશ્વાસ પ્રસ્તાવ માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવે. 18 જુલાઈથી વિધાનસભાનું સત્ર શરૂ થશે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">