AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતનો સૌથી વ્યસ્ત ફ્લાયઓવર રિંગરોડ બ્રિજ રીપેરીંગ માટે ચાર મહિના માટે બંધ કરાશે

આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરતા પહેલાં પોલીસ દ્વારા મોકડ્રીલ રાખવામાં આવશે. આગામી અઠવાડિયે પોલીસ મોકડ્રીલ કરશે. આ મોકડ્રીલ સમયે ટ્રાફિક આ ક્યા ક્યા વિસ્તારથી ડાઈવર્ટ કરી શકાય તેની માહિતી મેળવવામાં આવશે .

સુરતનો સૌથી વ્યસ્ત ફ્લાયઓવર રિંગરોડ બ્રિજ રીપેરીંગ માટે ચાર મહિના માટે બંધ કરાશે
Surat's busiest flyover Ringroad Bridge will be closed for four months for repairs(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:09 AM
Share

સુરત (Surat ) શહેરના ટ્રાફિકથી સતત ધમધમતાં રીંગરોડ (Ring Road) ફ્લાય ઓવર બ્રિજને આગામી દિવસોમાં રીપેરીગ (Repairing )માટે બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે . બ્રિજની 800 જેટલી બેરીંગ બદલવા માટે મ્યુનિ . છેલ્લા ઘણાં વખતથી આયોજન કરી રહી છે . પરંતુ આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી રીપેરીંગ થઈ શક્યું નથી . હવે બ્રિજનું રીપેરીંગ પણ અનિવાર્ય બન્યું હોય મહાનગરપાલિકાએ પોલીસ સાથે રહીને આ બ્રિજ ક્યારે બંધ કરવો તે માટે નિર્ણય કરશે.

સુરતના રીંગરોડ અને સ્ટેશન , સહારા દરવાજાને જોડતો ફ્લાય ઓવર બ્રિજ સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક બ્રિજ છે . આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી આ જગ્યાએ મ્યુનિ.એ વધુ એક મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો છે , તેની કામગીરી લગભગ પુરી થવા આવી છે . રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના નાના નાના રીપેરીંગ સમયાંતરે મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

પંરતુ આ બ્રિજ ઉપર મોટા ભારે વાહનો સતત પસાર થતાં હોવાથી બ્રિજની 800 જેટલી બેરીંગ બદલવાની તાતી જરૂર છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે તો ટ્રાફિકની ભારે સમસ્યા થઈ શકે છે. પણ હવે ફરજ્યાત બ્રિજના રીપેરીંગની કામગીરી કરવી પડે તેમ હોવાથી સુરત મહાનગરપાલિકાએ પોલીસ સાથે સંકલન કર્યું છે.

આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરતા પહેલાં પોલીસ દ્વારા મોકડ્રીલ રાખવામાં આવશે. આગામી અઠવાડિયે પોલીસ મોકડ્રીલ કરશે. આ મોકડ્રીલ સમયે ટ્રાફિક આ ક્યા ક્યા વિસ્તારથી ડાઈવર્ટ કરી શકાય તેની માહિતી મેળવવામાં આવશે . આ માહિતી બાદ પોલીસ મહાનગરપાલિકાને બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપશે ત્યાર પછી બ્રિજ બંધ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલને આ બ્રિજના 800 જેટલા બેરીંગ બદલવા બેરીંગ બદલવા અને અન્ય મેઈન્ટેનન્સ પાછળ ચાર મહિનાનો સમય લાગી શકે તેમ છે. આ ચાર મહિના બ્રિજ બંધ કરવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા થશે અને રીંગરોડની આસપાસના નાના રસ્તાઓ પર ભારે ટ્રાફિક થશે તે નક્કી છે.

આ પણ વાંચો :

Surat: માત્ર હોસ્પિટલમાં જ ચોરી કરતો રીઢો ચોર 9.80 લાખના મુદ્દામાલ સાથે પકડાયો

સુરતના લીંબાયત વિસ્તારમાં 2 કલાક બાદ ગુમ બાળકી મળી આવી, પોલીસની તાત્કાલિક કાર્યવાહી

Follow Us
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">