AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે

મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહે છે અને છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. પતિ આર્મીમેન હેવાથી તેણે અથવા તેના સાગરિતોએ ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ કરાયા છે.

Surat: મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે
મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 6:21 PM
Share

શનિવારે સુરત (Surat) ના માનદરવાજા ટેનામેન્ટ ખાતે થયેલી આર્મીમેનની પત્ની પર ફાયરિંગ (firing) ની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મહિલા (woman) પર 15 દિવસ પહેલા પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. એક ગોળી (bullet) તેના ડાબા પડખા પર, જ્યારે બે ગોળી ડાબા હાથ પર વાગી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ડોક્ટર (doctor) અને મહિલાને તેના શરીરમાં વધુ એક ગોળી હોવાની કોઈ જાણકારી જ ન હતી.

માન દરવાજા ટેનામેન્ટ પાસે આર્મીમેનની પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબારની ઘટના બની હતી. મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા હતાં. તેમનો પતિ સાથે છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. દરમિયાન શનિવારે સાંજના સમયે નંદાબેન ઘરની પાસે હતાં ત્યારે ત્રણથી ચાર ઇસમ બે બાઇક લઇને આવ્યા હતા. તેઓએ અચાનક જ નંદાબેન ઉપર ફાયરિંગ કર્યું હતું.

ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનામાં નંદાબેનને હાથ અને પગમાં ઇજા થઇ હતી અને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ મહિલાની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. સાથે જ પોલીસના જણાવ્યા પ્રમાણે નંદાબેન અને વિનોદભાઇની વચ્ચે પારિવારીક ઝઘડામાં આ ફાયરિંગ થયું હોવાની શક્યતા છે.

વિનોદભાઇ પોતે આર્મીમેન છે અને તેઓએ ફાયરિંગ કર્યું હોઇ શકે અથવા તો પોતાના સાગરિતો પાસે ફાયરિંગ કરાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન આ મહિલાનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પહેલાથી જ તેના શરીરમાં ગોળી હોવાનું બહાર આવ્યું હતું.

આ મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તેઓ બમરોલી રોડ ખાતે હતા ત્યારે તેમને કંઇક વાગ્યું હતું. ત્યારે તેમને લાગ્યું હતું કે કોઇ ટાયર ફાટ્યું હશે અને પથ્થર સાથળના ભાગમાં ઘૂસી ગયો હશે એટલે તેમણે સ્થાનિક ડોક્ટર પાસે ટાંકા લઇ લીધા હતાં. જો કે, ત્યારબાદ તેમને કોઇ દુ:ખાવો નહીં થતા બધુ સામાન્ય હોય તેમ લાગ્યું હતું પરંતુ જ્યારે તેનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે આ ખુલાસો થયો હતો.

આ પણ વાંચોઃ Surat : મોંઘવારીની બૂમ વચ્ચે પણ ટેકસટાઇલ માર્કેટનો વેપાર સુધર્યો, પ્રતિબંધો ઉઠતા રોજની 200 ટ્રક પાર્સલની રવાનગી

આ પણ વાંચોઃ Rajkot: જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો,મંજૂર થયેલા કામો પણ થતા નથી!

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">