AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે

મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહે છે અને છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. પતિ આર્મીમેન હેવાથી તેણે અથવા તેના સાગરિતોએ ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ કરાયા છે.

Surat: મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે
મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 6:21 PM
Share

શનિવારે સુરત (Surat) ના માનદરવાજા ટેનામેન્ટ ખાતે થયેલી આર્મીમેનની પત્ની પર ફાયરિંગ (firing) ની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મહિલા (woman) પર 15 દિવસ પહેલા પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. એક ગોળી (bullet) તેના ડાબા પડખા પર, જ્યારે બે ગોળી ડાબા હાથ પર વાગી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ડોક્ટર (doctor) અને મહિલાને તેના શરીરમાં વધુ એક ગોળી હોવાની કોઈ જાણકારી જ ન હતી.

માન દરવાજા ટેનામેન્ટ પાસે આર્મીમેનની પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબારની ઘટના બની હતી. મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા હતાં. તેમનો પતિ સાથે છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. દરમિયાન શનિવારે સાંજના સમયે નંદાબેન ઘરની પાસે હતાં ત્યારે ત્રણથી ચાર ઇસમ બે બાઇક લઇને આવ્યા હતા. તેઓએ અચાનક જ નંદાબેન ઉપર ફાયરિંગ કર્યું હતું.

ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનામાં નંદાબેનને હાથ અને પગમાં ઇજા થઇ હતી અને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ મહિલાની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. સાથે જ પોલીસના જણાવ્યા પ્રમાણે નંદાબેન અને વિનોદભાઇની વચ્ચે પારિવારીક ઝઘડામાં આ ફાયરિંગ થયું હોવાની શક્યતા છે.

વિનોદભાઇ પોતે આર્મીમેન છે અને તેઓએ ફાયરિંગ કર્યું હોઇ શકે અથવા તો પોતાના સાગરિતો પાસે ફાયરિંગ કરાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન આ મહિલાનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પહેલાથી જ તેના શરીરમાં ગોળી હોવાનું બહાર આવ્યું હતું.

આ મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તેઓ બમરોલી રોડ ખાતે હતા ત્યારે તેમને કંઇક વાગ્યું હતું. ત્યારે તેમને લાગ્યું હતું કે કોઇ ટાયર ફાટ્યું હશે અને પથ્થર સાથળના ભાગમાં ઘૂસી ગયો હશે એટલે તેમણે સ્થાનિક ડોક્ટર પાસે ટાંકા લઇ લીધા હતાં. જો કે, ત્યારબાદ તેમને કોઇ દુ:ખાવો નહીં થતા બધુ સામાન્ય હોય તેમ લાગ્યું હતું પરંતુ જ્યારે તેનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે આ ખુલાસો થયો હતો.

આ પણ વાંચોઃ Surat : મોંઘવારીની બૂમ વચ્ચે પણ ટેકસટાઇલ માર્કેટનો વેપાર સુધર્યો, પ્રતિબંધો ઉઠતા રોજની 200 ટ્રક પાર્સલની રવાનગી

આ પણ વાંચોઃ Rajkot: જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો,મંજૂર થયેલા કામો પણ થતા નથી!

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">