AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો, મંજૂર થયેલા કામો પણ થતા નથી!

સભ્યોની રજૂઆત હતી કે ક્યાંક સંકલન તૂટી રહ્યું છે અને વિકાસના કામોને અસર ન થાય તે માટે આજે સંકલનની બેઠક મળી હતી અને આ બેઠકમાં પ્રમુખની રૂબરૂમાં સભ્યોની ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું હતું.

Rajkot: જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો, મંજૂર થયેલા કામો પણ થતા નથી!
જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:50 PM
Share

રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત (district panchayat) ના પ્રમુખ (president) ભુપત બોદર સામે અવિશ્વાસ ઉભો થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અન્ય સભ્યોને સાંભળતા ન હોવાની ફરિયાદ ભાજપ (BJP) કાર્યાલય સુધી પહોંચતા આજે જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયાની ઉપસ્થિતિમાં ભાજપ સંકલનની બેઠક મળી હતી જેમાં ભાજપના સિનીયર આગેવાન પી.જી ક્યાડાએ તેમના વિસ્તારમાં કામો ન થતા હોવાનો બળાપો કાઢ્યો હતો.

જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેન પી.જી ક્યાડાની સાથે અન્ય સભ્યોએ પણ ભુપત બોદરની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને સંકલનમાં થોડા સમય માટે ધબધબાટી બોલી હતી,.જો કે આ અંગે ભાજપના પ્રમુખે સબ સલામતનો દાવો કર્યો હતો અને ગેરસમજો દૂર થઇ હોવાનું કહીને સભ્યોના કામ પૂર્ણ થશે તેવું કહેવામાં આવ્યું છે.

પ્રમુખ નવા છે,ખબર પડતી નથી માટે ગેરસમજ થાય છે: પી.જી.ક્યાડા

આ અંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેન પી.જી ક્યાડાએ કહ્યું હતું કે મારી પાસે કેટલાક ચૂંટાયેલા સભ્યો આવ્યા હતા અને તેના વિસ્તારમાં ગ્રાન્ટ મળતી ન હોવાની, ભથ્થાઓ ન મળતા હોવાની ફરિયાદ કરી હતી જેના આધારે અમે ભાજપના પ્રમુખને મળીને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો.ક્યાડાએ કહ્યું હતું કે ગ્રાન્ટ મળવામાં સમસ્યા સર્જાય રહી છે.પ્રમુખની મર્યાદા હોય કે પછી તેઓ સમજી ન શકતા હોવાને કારણે સભ્યોમાં એક રોષ છે જેને લઇને આ રજૂઆત કરવામાં આવી છે અને અમને આ વિશ્વાસ છે કે આ રજૂઆત સફળ થશે.

ગેરસમજો દુર કરાઇ છે-જિલ્લા ભાજપ પ્રમુખ

આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે સભ્યોની રજૂઆત હતી કે ક્યાંક સંકલન તૂટી રહ્યું છે અને વિકાસના કામોને અસર ન થાય તે માટે આજે સંકલનની બેઠક મળી હતી અને આ બેઠકમાં પ્રમુખની રૂબરૂમાં સભ્યોની ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું હતું.આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે સભ્યોને કોઇક ગેરસમજ હતી જે દુર કરવામાં આવી છે.હવે કોઇ જુથવાદ નથી તે સ્પષ્ટ વાત છે.

1 વર્ષ શાસનના પૂર્ણ થાય છે,વ્યક્તિગત અસંતોષ હોઇ શકે-ભૂપત બોદર

આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કહ્યું હતું કે આજે સંકલનની બેઠક મળી હતી જેમાં એક વર્ષના કામોનો હિસાબ કરવામાં આવ્યો છે.આ સંકલનમાં કોઇ જુથવાદ નથી અને કોઇ અસંતોષ નથી.ગ્રામ્ય વિસ્તારોમાં જે કામો બાકી છે તે અંગે ચર્ચા કરવામાં આવી છે.ભૂપત બોદરે વધુમાં કહ્યું હતું કે મારી સામે કોઇ અસંતોષ નથી.ગ્રાન્ટ ન મળવાની વાત હોય તો તમામ સભ્યોને સમસ્યા હોય પરંતુ માત્ર બે સભ્યોને અસંતોષ છે જે વ્યક્તિગત હોય શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Session highlights: જોશિયારાના અવસાન બદલ ગૃહમાં બે મિનિટનુ મૌન પળી વિધાનસભામાં આજનું કામકાજ મોકૂફ રાખાયું

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઉનાળાની શરુઆત, અમદાવાદ સહિત ગરમીનો પારો 17 શહેરમાં તાપમાન 38 ડિગ્રીને પાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">