AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વ્હીકલ ટેક્સમાં વધારાથી કોર્પોરેશનને વાર્ષિક 10 થી 12 કરોડની આવક થશે

મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં 20 લાખ સુધીના ફોર વ્હીલર્સ પાસેથી તેમની કિંમત પ્રમાણે 2.5 ટકા વાહન વેરો વસૂલે છે. બજેટમાં 10 લાખ અને 25 લાખ સુધીના ફોર વ્હીલર માટે 1.5 ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે.

Surat : વ્હીકલ ટેક્સમાં વધારાથી કોર્પોરેશનને વાર્ષિક 10 થી 12 કરોડની આવક થશે
Surat: With the increase in vehicle tax, the corporation will get an annual income of Rs 10 to 12 crore (SMC-FILE)
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 02, 2022 | 4:32 PM
Share

સુરત (Surat) મ્યુનિસિપલ કોર્પોરેશને (SMC)તેના ડ્રાફ્ટ બજેટ (Draft budget)2022-23માં રૂ. 10 લાખથી 25 લાખ સુધીની કિંમતના ફોર વ્હીલર્સ પર 1 ટકા અને 25 લાખથી વધુની કિંમતના ફોર વ્હીલર પર 0.5 ટકાનો ટેક્સ વધાર્યો છે. વાહન વેરામાં આ વધારાને કારણે પાલિકાને વાર્ષિક 10 થી 12 કરોડ રૂપિયા આવક થવાની ધારણા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં શહેરમાં આરટીઓમાં 19000 નવા ફોર વ્હીલર નોંધાયા છે. તેમાંથી 13072 ફોર વ્હીલર છે જેની કિંમત 10 લાખ રૂપિયા છે. 10 લાખ રૂપિયા થી ઉપરની કિંમતના 4321 ફોર વ્હીલર છે. તેવી જ રીતે 25 લાખથી વધુની કિંમતના 514 વાહનોનો સમાવેશ થાય છે. માર્ચના અંત સુધીમાં 4000 વધુ ફોર વ્હીલરની નોંધણી થવાની ધારણા છે.

સામાન્ય રીતે દર વર્ષે લગભગ 23 હજાર ફોર વ્હીલરનું વેચાણ થાય છે. શહેરમાં 10 લાખ, 10 થી 25 લાખ અને 25 લાખથી વધુની કિંમતના વાહનો પરના ટેક્સમાં વધારાને કારણે સુરત મહાનગરપાલિકાને વાર્ષિક 10 થી 12 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.

વાહન વેરો હાલ કેટલો અને કેટલો

મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં 20 લાખ સુધીના ફોર વ્હીલર્સ પાસેથી તેમની કિંમત પ્રમાણે 2.5 ટકા વાહન વેરો વસૂલે છે. બજેટમાં 10 લાખ અને 25 લાખ સુધીના ફોર વ્હીલર માટે 1.5 ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે. જ્યારે 10 લાખ સુધીના વાહનો પાસેથી 2.5 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આ રીતે 25 લાખ સુધીના ફોર વ્હીલર પર 4 ટકા વાહન ટેક્સ વસૂલવામાં આવશે, જે હાલમાં 3.5 ટકા છે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ વેરા મંજૂર થયા બાદ 1 એપ્રિલથી નવા વાહન વેરાનો અમલ થશે.

પાછલા ત્રણ વર્ષમાં નવા વાહનોના વેચાણ અને મનપાને મળેલ વાહન ટેક્સ

વર્ષ 2019-20–નવા વાહનો 1.50 લાખ–74.68 કરોડ ટેક્સ વર્ષ 2020-21–નવા વાહનો 84 હજાર–59 કરોડ ટેક્સ વર્ષ 2021-22–નવા વાહનો 99 હજાર–73 કરોડ ટેક્સ

આ પણ વાંચો : Vadodara: અકોટા સોલાર બ્રિજે નવ માસમાં રૂ. 50 લાખની વીજળી આપી, ગુજરાતના પ્રથમ રૂફટોપ સોલાર બ્રિજમાં 3024 પેનલ બેસાડાઈ

આ પણ વાંચો : મહીસાગર નદીને કિનારે ઉજવાયો મહી બીજ ઉત્સવ, લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજતો ગોપાલક સમાજ ઉમટયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">