Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ […]

Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 14, 2021 | 11:06 PM

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ થયું છે અને એટલા માટે જ સરકારે તબક્કાવાર વેપાર ધંધા અને રોજગારને શરૂ કરવા છૂટછાટ આપીને અનલોક કર્યું છે.

પરંતુ હજીય કેટલાક લોકો કોરોના જતો રહ્યો એમ સમજીને બિન્દાસ ફરી રહ્યા છે. હાલ અનલોકમાં જ્યારે ધાર્મિક સ્થાનો પણ લોકોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે સુરતનું એક મંદિર એવું છે જેના થકી લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું તેની સમજ બખૂબી આપવામાં આવી રહી છે. સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટરની પાછળ આવેલા મહાદેવ મંદિરમાં ભગવાનના દર્શન માટે આવતા લોકો પાસે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન તો કરાવવામાં જ આવે છે.

પરંતુ ભગવાનને પણ કોરોનાથી બચાવવા જાણે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ મંદિરમાં આવતા શિવભક્તો મહાદેવના શિવલિંગને સીધી રીતે સ્પર્શી શકતા નથી કે દૂધ અને જળાભિષેક કરી શકતા નથી. તેના માટે મંદિરમાં 3 મીટર લાંબો સ્ટીલનો પાઈપ મુકવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

મંદિરના દ્વારે એક નાની પવાલી મુકવામાં આવી છે. જેમાં ભક્તો પાણી અને દૂધ ચડાવી શકે છે જે પાઈપ વાટે સીધું શિવલિંગ પર ચડે છે. આમ, આજે લોકો પણ મંદિરોમાં દર્શન માટે ભીડ લગાવી રહ્યા છે. તેવામાં આ મંદિર દ્વારા ભક્તોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા યોગ્ય રીતે સમજ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Suratમાં મહિલાઓ ભરશે ઉડાન, વનિતા વિશ્રામ ખાતે ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટીની તૈયારીઓ શરૂ

Latest News Updates

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
g clip-path="url(#clip0_868_265)">