AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ […]

Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 14, 2021 | 11:06 PM
Share

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ થયું છે અને એટલા માટે જ સરકારે તબક્કાવાર વેપાર ધંધા અને રોજગારને શરૂ કરવા છૂટછાટ આપીને અનલોક કર્યું છે.

પરંતુ હજીય કેટલાક લોકો કોરોના જતો રહ્યો એમ સમજીને બિન્દાસ ફરી રહ્યા છે. હાલ અનલોકમાં જ્યારે ધાર્મિક સ્થાનો પણ લોકોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે સુરતનું એક મંદિર એવું છે જેના થકી લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું તેની સમજ બખૂબી આપવામાં આવી રહી છે. સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટરની પાછળ આવેલા મહાદેવ મંદિરમાં ભગવાનના દર્શન માટે આવતા લોકો પાસે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન તો કરાવવામાં જ આવે છે.

પરંતુ ભગવાનને પણ કોરોનાથી બચાવવા જાણે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ મંદિરમાં આવતા શિવભક્તો મહાદેવના શિવલિંગને સીધી રીતે સ્પર્શી શકતા નથી કે દૂધ અને જળાભિષેક કરી શકતા નથી. તેના માટે મંદિરમાં 3 મીટર લાંબો સ્ટીલનો પાઈપ મુકવામાં આવ્યો છે.

મંદિરના દ્વારે એક નાની પવાલી મુકવામાં આવી છે. જેમાં ભક્તો પાણી અને દૂધ ચડાવી શકે છે જે પાઈપ વાટે સીધું શિવલિંગ પર ચડે છે. આમ, આજે લોકો પણ મંદિરોમાં દર્શન માટે ભીડ લગાવી રહ્યા છે. તેવામાં આ મંદિર દ્વારા ભક્તોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા યોગ્ય રીતે સમજ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Suratમાં મહિલાઓ ભરશે ઉડાન, વનિતા વિશ્રામ ખાતે ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટીની તૈયારીઓ શરૂ

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">