AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ […]

Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 14, 2021 | 11:06 PM
Share

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ થયું છે અને એટલા માટે જ સરકારે તબક્કાવાર વેપાર ધંધા અને રોજગારને શરૂ કરવા છૂટછાટ આપીને અનલોક કર્યું છે.

પરંતુ હજીય કેટલાક લોકો કોરોના જતો રહ્યો એમ સમજીને બિન્દાસ ફરી રહ્યા છે. હાલ અનલોકમાં જ્યારે ધાર્મિક સ્થાનો પણ લોકોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે સુરતનું એક મંદિર એવું છે જેના થકી લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું તેની સમજ બખૂબી આપવામાં આવી રહી છે. સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટરની પાછળ આવેલા મહાદેવ મંદિરમાં ભગવાનના દર્શન માટે આવતા લોકો પાસે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન તો કરાવવામાં જ આવે છે.

પરંતુ ભગવાનને પણ કોરોનાથી બચાવવા જાણે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ મંદિરમાં આવતા શિવભક્તો મહાદેવના શિવલિંગને સીધી રીતે સ્પર્શી શકતા નથી કે દૂધ અને જળાભિષેક કરી શકતા નથી. તેના માટે મંદિરમાં 3 મીટર લાંબો સ્ટીલનો પાઈપ મુકવામાં આવ્યો છે.

મંદિરના દ્વારે એક નાની પવાલી મુકવામાં આવી છે. જેમાં ભક્તો પાણી અને દૂધ ચડાવી શકે છે જે પાઈપ વાટે સીધું શિવલિંગ પર ચડે છે. આમ, આજે લોકો પણ મંદિરોમાં દર્શન માટે ભીડ લગાવી રહ્યા છે. તેવામાં આ મંદિર દ્વારા ભક્તોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા યોગ્ય રીતે સમજ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Suratમાં મહિલાઓ ભરશે ઉડાન, વનિતા વિશ્રામ ખાતે ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટીની તૈયારીઓ શરૂ

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">