Surat: જિલ્લામાં વરસાદે વિરામ લેતા સુરતીઓને મોટી હાશ, ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટ્યું

જોકે શહેરના માથેથી હાલ ખાડી પુરનું સંકટ ટળી ગયું છે. એટલું જ નહીં ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં હવે ક્રમશ પાણી છોડવાનું પણ તબક્કાવાર રીતે ઓછું કરવામાં આવશે.

Surat: જિલ્લામાં વરસાદે વિરામ લેતા સુરતીઓને મોટી હાશ, ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટ્યું
Ukai Dam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 9:53 PM

ગઈકાલ રાતથી સુરત (Surat) શહેર સહિત જિલ્લામાં પણ વરસાદે (Rain) વિરામ લેતા સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળ સ્તરમાં ઘટાડો થતા હાલ ખાડીપૂરનું સંકટ ટળી ગયું છે. સીમાડા ખાડી અને મીઠી ખાડી ગઈકાલે ભયજનક સપાટી નજીક પહોંચી જતા પંપ દ્વારા ડી વોટરિંગ કામગીરી કરવામાં આવતા ખાડી પૂરની સ્થિતિ ટળી ગઈ હતી. 

જોકે સુરતની વાત કરીએ તો આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે. જેથી તે બાબતે પણ મોટી રાહત શહેરીજનોને થઈ છે. કારણ કે જ્યારે પણ ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે શહેરીજનોને 2006ના પૂરની યાદ તાજી થઈ જાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉકાઈના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ડેમમાં પણ નવા પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત સોમવારથી આજે ગુરુવાર સુધી ડેમમાંથી અવિરતપણે પાણી છોડવામાં આવતા તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગણપોર કોઝવેની તાપી નદીની જળસપાટી પણ 9.52 મીટર જેટલી નોંધાઈ છે.

જોકે શહેરના માથેથી હાલ ખાડી પુરનું સંકટ ટળી ગયું છે. એટલું જ નહીં ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં હવે ક્રમશ પાણી છોડવાનું પણ તબક્કાવાર રીતે ઓછું કરવામાં આવશે. સુરત જિલ્લા કલેકટર દ્વારા પહેલા પણ એ સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી શહેરીજનો માટે ચિંતાનું કોઈ કારણ નથી.

પરંતુ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા હજી પણ પરિસ્થિતિનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. પાલિકાના અધિકારીઓની રજાઓ પણ સલામતી માટે કેન્સલ કરવામાં આવી છે. જોકે શહેર સહિત ઉકાઈના ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા હવે મોટો હાશકારો સુરતીઓની સાથે સાથે વહીવટી તંત્રને પણ થયો છે. જોકે શાહીન વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા દરિયાકિનારે હરવા ફરવા જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા શહેરના માથેથી પુરનું સંકટ ટળ્યું છે એવી ચોક્કસથી કહી શકાય.

આ પણ વાંચો : જોરદાર: ગુજરાતમાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, એક જ મહિનામાં વરસ્યો આટલો વરસાદ

આ પણ વાંચો :જોરદાર: ગુજરાતમાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, એક જ મહિનામાં વરસ્યો આટલો વરસાદ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">