AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતાં સુરત મહાનગરપાલિકા એલર્ટ, સિવિલ હોસ્પિટલે પણ કોરોનાના દર્દીઓના XE વેરિયન્ટને રોકવા તૈયારીઓ કરી

કોરોનાના(Corona ) નવા વેરિયન્ટની આશંકાને કારણે, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનેલી 1000 બેડની કોવિડ હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓની સારવાર મોકૂફ રાખવામાં આવી છે. આ હોસ્પિટલ સામાન્ય દર્દીઓની સારવાર માટે લગભગ તૈયાર કરવામાં આવી હતી.

Surat : કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતાં સુરત મહાનગરપાલિકા એલર્ટ, સિવિલ હોસ્પિટલે પણ કોરોનાના દર્દીઓના XE વેરિયન્ટને રોકવા તૈયારીઓ કરી
કોરોનાના નવા વેરિયન્ટ સામે તૈયારી (ફાઈલ ઇમેજ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:37 AM
Share

શહેરમાં (Surat ) કોરોનાના નવા વેરિયન્ટ XEને લઈને સુરત મહાનગર પાલિકા (SMC) એલર્ટ થઈ ગઈ છે. જો કે, નવા વેરિયન્ટનો (Variant ) એકપણ દર્દી મળ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિશનરનું કહેવું છે કે જો કોઈ પોઝિટિવ આવશે તો તેનો રિપોર્ટ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવશે. હાલમાં શહેરમાં દરરોજ 700 થી 1000 કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ હેલ્થ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે હોસ્પિટલમાં શરદી-ખાંસી અને તાવના શંકાસ્પદ દર્દીઓના ડૉક્ટરો પોતાની મરજી મુજબ કોવિડ-19 ટેસ્ટ કરાવે છે. જો નવા વેરિયન્ટ સાથે પરિસ્થિતિ ગંભીર બનશે, તો તમામ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવશે. જો કેસ વધવા લાગશે તો સૌ પ્રથમ શરદી-ખાંસી, તાવ અને શરીરના દુખાવા સાથે હોસ્પિટલોમાં આવતા દર્દીઓની કોરોના તપાસ શરૂ થશે.

આ સુવિધાઓ 12 માળની કોવિડ હોસ્પિટલમાં છે

આખા વોર્ડમાં ઓક્સિજન પાઈપલાઈન, 200 થી વધુ નવા અને અપડેટેડ વેન્ટિલેટર, અદ્યતન એક્સ-રે સોનોગ્રાફી મશીન, બાથરૂમ અને પીવાના પાણીની સુવિધા સાથે વેન્ટિલેટેડ અને સ્વચ્છ વિશાળ લિફ્ટ, વોર્ડની બહાર હોલ, જ્યાં સંબંધીઓ રહી શકે છે, વીજળી, પાણી અને પંખા તેમજ કેટલાક એસી રૂમ તૈયાર છે.

કોરોનાના નવા વેરિયન્ટની આશંકાને કારણે, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનેલી 1000 બેડની કોવિડ હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓની સારવાર મોકૂફ રાખવામાં આવી છે. આ હોસ્પિટલ સામાન્ય દર્દીઓની સારવાર માટે લગભગ તૈયાર કરવામાં આવી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે અમે હવે એક મહિના સુધી રાહ જોઈશું. મ્યુનિસિપલ હેલ્થ કમિશનર આશિષ નાયકનું કહેવું છે કે જે પણ રિપોર્ટ પોઝિટિવ આવશે, તેની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. સરકારના આદેશનું પાલન કરશે. જો રોજની તપાસમાં કેસ વધશે તો ટેસ્ટની સંખ્યામાં વધારો થશે.

સિવિલમાં લાંબા સમયથી એક પણ કોરોના દર્દી નથી

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરના જણાવ્યા પ્રમાણે કોવિડ હોસ્પિટલમાં કોરોનાનો કોઈ દર્દી નથી. અમે તેને સામાન્ય દર્દીઓ માટે ખોલવાની તૈયારી કરી હતી. પરંતુ નવા વેરિયન્ટ ની સંભવિત સ્થિતિને જોતા 1 મહિનો રાહ જોવી પડશે. તમને જણાવી દઈએ કે છેલ્લા દોઢ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી નથી. 1000 બેડની સ્ટેમ સેલ હોસ્પિટલ જ્યાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેને સરકાર દ્વારા વર્ષ 2020 માં કોવિડ 19 હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. જો વર્ષ 2020માં કોરોનાના કોઈ કેસ ન હોત તો તેમાં સામાન્ય દર્દીઓની સારવાર શરૂ થઈ ગઈ હોત. હવે ચોથી લહેરની ભીતિને કારણે આ યોજના મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :

સુરતમાં ભાગીદારી પેઢીના વેરીફીકેશન માટે આવેલાં સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા

મહારાષ્ટ્રમાં સચીન પવારની હત્યા કરીને સુરત નાસી આવેલા ત્રણ આરોપીની ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">