Surat: એસટી વિભાગે તલાટીની પરીક્ષાને લઈને રૂટીન સિવાય 172 એક્સ્ટ્રા બસો દોડાવી, 11 લાખની વધુ આવક થઇ

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરે જણાવ્યું હતું કે 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જેથી સુરતથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, આણંદ, છોટા ઉદેપુર, વાપી, વ્યારા, વલસાડ, નવસારી સુધી રૂટીન બસો સિવાય પણ વધુ 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.

Surat: એસટી વિભાગે તલાટીની પરીક્ષાને લઈને રૂટીન સિવાય 172 એક્સ્ટ્રા બસો દોડાવી, 11 લાખની વધુ આવક થઇ
Surat ST Department Income
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 09, 2023 | 7:06 AM

ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ તલાટીની પરીક્ષા(Talati Exam)  યોજાઈ હતી. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોચી શકે તે માટે સુરત(Surat)  એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું હતું. દરમ્યાન ગતરોજ સુરત એસટી વિભાગે 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવી હતી જેના કારણે સુરત એસટી વિભાગને 11 લાખની આવક થઇ હતી. રાજ્યમાં વાર તહેવાર કે પછી સરકારી પરીક્ષા દરમ્યાન સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે જેથી કરીને લોકોને હાલાકી ન ભોગવવી પડે. ત્યારે રાજ્યમાં 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી.

ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી

આ પરીક્ષાને લઈને ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉથી ઓનલાઈન બુકિંગ અને કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.7 મે ના રોજ સુરત એસટી વિભાગ દ્વારા 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. વહેલી સવારથી જ સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જર તેમજ અન્ય સ્ટાફ કામગીરીમાં જોતરાઈ ગયો હતો. વિભાગીય નિયામક પી.વી.ગુર્જર દ્વારા બસને લઈને કોઈ લોકોને હાલાકી ન પડે તે માટે સંપૂર્ણ આયોજન કરી દિવસ દરમ્યાન કામગીરી પર નજર પણ રાખવામાં આવી રહી હતી.

એક્સ્ટ્રા બસોમાં 15  હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરે જણાવ્યું હતું કે 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જેથી સુરતથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, આણંદ, છોટા ઉદેપુર, વાપી, વ્યારા, વલસાડ, નવસારી સુધી રૂટીન બસો સિવાય પણ વધુ 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. રૂટીન સિવાય દોડેલી આ એક્સ્ટ્રા બસોમાં 15  હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાના કારણે સુરત એસટી વિભાગને 11 લાખની આવક થઇ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">