Surat : સુરતીઓ ખાસ વાંચે : ઉકાઈ ડેમમાંથી બપોર સુધી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઈ શકે છે, જોકે હાલ ચિંતાની વાત નથી

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે હાલ સુરત(Surat ) માટે ચિંતા નો કોઈ વિષય નથી છતાં નદી કાંઠે અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

Surat : સુરતીઓ ખાસ વાંચે : ઉકાઈ ડેમમાંથી બપોર સુધી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઈ શકે છે, જોકે હાલ ચિંતાની વાત નથી
Ukai Dam (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:26 AM

ઉકાઈ (Ukai ) ડેમના ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને (Rain ) કારણે ડેમમાં પાણીની આવકમાં (Inflow ) વધારો થયો છે. જેના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના ઉપરવાસના કેસવંત વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઉકાઈમાં સતત નવા નીર આવતા જ ડેમની સપાટી ઉપર ચડી રહી છે.

હાલમાં જ મળતી માહિતી પ્રમાણે સવારે આઠ વાગ્યાથી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં એક લાખ 70 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને બપોર સુધીમાં 1.95 લાખ જેટલું પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. આ પાણી આવવાથી ડેમની સપાટી રૂલ લેવલ કરતા વધી જશે. રૂલ લેવલ સાચવવા માટે ઉકાઈ ડેમ દ્વારા પાણી તબક્કા વાર રીતે છોડવામાં આવી રહ્યું છે અને તેમાં વધારો પણ કરવામાં આવે તેવી સંભાવના છે. જેને ધ્યાનમાં લઈને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

સુરત માટે હાલ કોઈ ચિંતાનો વિષય નથી : મ્યુનિસિપલ કમિશનર

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે હાલ સુરત માટે ચિંતા નો કોઈ વિષય નથી છતાં નદી કાંઠે અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. વધુમાં કમિશનરે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે હાલ ઉકાઈ ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ચિંતાનો કોઈ વિષય નથી. છતાં સલામતીના ભાગરૂપે અમે તમામ તૈયારીઓ કરી રાખી છે. હાલ શહેરમાં સ્થળાન્તર ની પણ કોઈ જરૂર ઉભી થાય તેવું લાગતું નથી.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

જ્યાં સુધી વરસાદની વાત છે ત્યાં સુધી શહેર અને જિલ્લામાં સામાન્ય જેવો વરસાદ જ વરસી રહ્યો છે. એટલે હાલ વહીવટી તંત્ર માટે એ પણ ચિંતાનો વિષય નથી. શહેરમાં રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝવેની સપાટી 7.60 મીટર છે.તે ભયજનક સપાટી થી ઉપર વહી રહ્યો છે. જેના કારણે છેલ્લા 12 દિવસથી લોકોની અવરજવર માટે તેને બંધ રાખવામાં આવ્યો છે. જોકે હજી પણ આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહીને જોતા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠું છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">