AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વેક્સીન ન લીધી હોય તેવા વાલીઓના બાળકોને શાળામાં પ્રવેશ ન આપવા શાળા સંચાલક મંડળનો નિર્ણય

શાળામાં રોજે રોજ સ્વચ્છતા જાળવી રાખવી અને દરેક વર્ગખંડ ડિઇન્ફેકટ કરવો. એટલું જ નહીં જે બાળકોના વાલીઓએ વેક્સીન નથી લીધી તેવા બાળકોને શાળામાં પ્રવેશ નહીં આપવા પણ અપીલ કરવામાં આવી છે. 

Surat : વેક્સીન ન લીધી હોય તેવા વાલીઓના બાળકોને શાળામાં પ્રવેશ ન આપવા શાળા સંચાલક મંડળનો નિર્ણય
Corona guideline by school board of Surat (Impact Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:30 PM
Share

સુરત (Surat )શહેરમાં દિન – પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું . જેને પગલે શાળાઓમાં (School )અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની(Students ) સાવચેતી રાખવી જરૂરી છે . શહેરમાં ઘણી શાળાઓમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું નથી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ હજી સુધી જોઈએ તે પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી. જેને લઈને વાલીઓ અને શાળા સંચાલક મંડળમાં પણ નારાજગી છે.

આવી પરિસ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આગળ આવ્યું છે અને શહેરની શાળાઓને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે . સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકોએ જણાવ્યું હતું કે હાલમાં સુરત શહેરમાં કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા શાળામાં ઓફલાઇન શિક્ષણ લઇ રહેલ વિદ્યાર્થીઓને સંક્રમણથી બચાવવાની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે .

આથી દરેક શાળાઓમાં કોવિડ -19 ની એસ.ઓ.પી. નું ચુસ્ત પાલન કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તમામ સંચાલકોને અપીલ કરે છે . શાળામાં પ્રવેશ સમયે હાથ સેનેટાઇઝ કરવા અથવા સાબુથી ધોવા માટેની વ્યવસ્થા સુનિષ્ટિત કરવી . દરેક બાળકનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવું તમામ વિદ્યાર્થીઓ અને શાળાનો શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ ફરજીયાત માસ્ક પહેરી રાખે .

દરેક વિધાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેની તકેદારી રાખવી . દરેક વર્ગખંડમાં બારી દરવાજા ખુલ્લા રાખી યોગ્ય વેન્ટિલેશનની કાળજી લેવી . વિદ્યાર્થીઓ રિશેશ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તથા નાસ્તો એકબીજા સાથે શેર ન કરે તેનું યોગ્ય મોનિટરિંગ કરવું .

શાળામાં સમૂહ પ્રાર્થના , રમત ગમત કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા નહીં . પ્રાર્થના વર્ગખંડમાં જ કરાવવી શાળા પર આવતા વાલીઓ કે અન્ય વ્યક્તિઓને માસ્ક વગર એન્ટ્રી આપવી નહીં . શાળામાં તમામ બાળકો માટે કોરોના અંગેની કાળજી લેવા અને માર્ગદર્શક સૂચનો અંગેના પોસ્ટર કે બેનર વિવિધ જગ્યાએ લગાવવા .

શાળા શરૂ થતા સમયે કે છૂટવાના સમયે ગેટ પર ભીડ એકઠી ન થાય તેની તકેદારી રાખવી . શકય હોય તો જુદા જુદા ધોરણનો શાળા છૂટવાનો સમય અલગ અલગ રાખવો . શાળામાં રોજે રોજ સ્વચ્છતા જાળવી રાખવી અને દરેક વર્ગખંડ ડિઇન્ફેકટ કરવો. એટલું જ નહીં જે બાળકોના વાલીઓએ વેક્સીન નથી લીધી તેવા બાળકોને શાળામાં પ્રવેશ નહીં આપવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં

આ પણ વાંચો : SURAT : કોરોના કેસોમાં ઉછાળો, ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા તાકીદ કરાઇ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">