AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં

રાજ્ય સરકાર દ્વારા વધતા કોરોનાના કેસોને લઇને રાત્રે 11 વાગ્યાથી કરફ્યૂ અમલ કરવામાં આવ્યો છે. જો કે 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવસે લોકો ભેગા ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને પરિસ્થિતિ પર વોચ રાખવામાં આવશે.

Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં
Notification of Surat Police Commissioner
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 5:10 PM
Share

સુરત (Surat)માં દર વર્ષે 31 ડિસેમ્બર (31 December)ની ભવ્ય ઉજવણી થાય છે. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસ (Corona case)ને લઈને સુરતમાં રાત્રિ કરફ્યૂ (Night curfew) અમલમાં છે અને કલમ 144 પણ લાગેલી છે. ત્યારે હવે લોકો 31 ડિસેમ્બરની ઉજવણી માટે એકઠા ન થાય તે માટે સુરત પોલીસે એક જાહેરનામું પણ બહાર પાડયુ છે

જાહેરનામામાં શું ઉલ્લેખ ?

સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને લોકોને તકેદારી રાખવા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અપીલ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે લોકોને ગાઇડલાઇનનું કડક પાલન કરવા સૂચના આપી છે. સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોને મોટી સંખ્યામાં એકઠા ન થવા સૂચના આપવામાં આવી છે. તેમજ 11 વાગ્યા પછી રાત્રિ કરફ્યૂ અમલમાં હોવાથી લોકોને બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમ છતા જો કોઇ જાહેરનામાંનો ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

પોલીસ સતત પેટ્રોલિંગ – વોચ રાખશે

રાજ્ય સરકાર દ્વારા વધતા કોરોનાના કેસોને લઇને રાત્રે 11 વાગ્યાથી કરફ્યૂ અમલ કરવામાં આવ્યો છે. જો કે 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવસે લોકો ભેગા ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને પરિસ્થિતિ પર વોચ રાખવામાં આવશે. જો કોઇ પાર્ટી કરતા ઝડપાશે તો તો પોલીસ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં થર્ટી ફર્સ્ટને લઇને પરમિશન આપવામાં આવી નથી. જુના ડેટાની માહિતી પરથી ક્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ તે સહિતની જાણકારી મેળવીને સતત વોચ રાખવામાં આવશે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત કામગીરી કરશે.

આ પણ વાંચોઃ Surat : કોરોનાથી બચવા હવે હેલ્થ વર્કરોને પ્રિકોશનનો ત્રીજો ડોઝ પણ અપાશે, 10 જાન્યુઆરીથી પ્રારંભ

આ પણ વાંચોઃ Anand: સુણાવની શાળામાં 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ, 15 દિવસ માટે શાળા કરાઇ બંધ, વાલીઓની ચિંતામાં વધારો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">