Surat: પુષ્પા મુવીની જેમ ચંદનના લાકડાની ચોરી પણ હજુ સુધી કેમ નથી નોંધાઈ પોલીસ ફરિયાદ?

આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે સુરત મહાનગર પાલિકાના (SMC) અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી.

Surat: પુષ્પા મુવીની જેમ ચંદનના લાકડાની ચોરી પણ હજુ સુધી કેમ નથી નોંધાઈ પોલીસ ફરિયાદ?
Surat: Sandalwood Theft Like Pushpa Movie,
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 30, 2022 | 12:14 PM

હાલમાં જ રીલીઝ થયેલી સાઉથ ઈન્ડિયાની ફિલ્મ પુષ્પા સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. આ મૂવી લાલ ચંદન (Red sandalwood)ના લાકડાની ચોરીની ઘટના પર આધારિત છે. સુરત (Surat)માં પણ ફિલ્મ પુષ્પાના અલ્લુ અર્જુનની જેમ લાલ ચંદનની લાકડાની ચોરી (Theft) કરતી ટોળકી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.

સુરતના મધ્યભાગમાં આવેલા ગાંધી બાગમાં પણ ચંદનના કેટલાંક વૃક્ષો આવેલા છે. જો કે તે રક્તચંદન નથી. આ બાગમાંથી ચંદનના લાકડા ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે છતાં પણ ગાર્ડન વિભાગ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ બાગમાંથી ચંદનના લાકડા ચોરાઈ જવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ ચંદનના લાકડાની ચોરી થવાની અનેક ઘટના બની ચૂકી છે. જો કે હજુ સુધી આ લાકડા કોણ ચોરી જાય છે તે અંગે કંઇજ બહાર આવ્યુ નથી.

હાલમાં સુરતના ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ ચોરાવાની વધુ એક ઘટના બની છે, પરંતુ હજી સુધી સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ પહેલા પણ બે વખત ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષોના લાકડાની ચોરી થઈ ચૂકી છે. જો કે તે ચોરીની ઘટનાઓની પણ કોઈ જ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. વારંવાર ચંદનના લાકડાની ચોરીની ઘટનાઓ છતાં હજી સુધી ચોર પકડમાં આવતા નથી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે સુરત મહાનગર પાલિકાના (SMC) અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી. કોઈપણ વૃક્ષ કપાઈ તો તેની ફરિયાદ કરવાની પાલિકાના અધિકારીઓની જવાબદારી આવે છે, તેમ છતાં આ ઘટનામાં હજી સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જો કે, આ બનાવની પોલીસને ફક્ત જાણ કરવામાં આવતા પોલીસ ગુપ્ત રાહે શકમંદોની પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષ ચોરાવાની બે ઘટના બની ચૂકી છે અને તેની જાણ પણ પોલીસને કરવામાં આવી હતી. જો કે, આ ગુનાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી અને કોઇ ચોર પણ પકડાયાં નથી.

આ પણ વાંચો- Narmada: બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ, કેસની તપાસ માટે SITની રચના કરાઇ

આ પણ વાંચો- Ahmedabad: નરોડામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ, હત્યાના પ્રયાસની કલમ દાખલ કરાઇ

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">