Surat : રાષ્ટ્રપર્વની ઉજવણી બાદ તિરંગાના માન સન્માન માટે મુકાઈ રક્ષા પેટી

જો કોઈ વ્યક્તિને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ(Flag ) મળી આવે તો તેને રસ્તે રઝળતો મુકવાને બદલે તેઓ તે તિરંગાને આ રક્ષાપેટીમાં મૂકી શકે છે. 

Surat : રાષ્ટ્રપર્વની ઉજવણી બાદ તિરંગાના માન સન્માન માટે મુકાઈ રક્ષા પેટી
Raksha Peti is placed to honor the tricolor after the National Day celebrations
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 2:01 PM

ભારતીય સંસ્કૃતિમાં આમ તો અનેક તહેવારો(Festival ) આવે છે. પણ આ બધા તહેવારો કરતા પણ રાષ્ટ્રીય (National )તહેવારો વિશેષ છે. આપણે જાણીએ છીએ તેમ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ આવતા દેશપર્વને મનાવવા દેશવાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. અને આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશવાસીઓ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.

જેને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટ પહેલા જ દેશભક્તિનો માહોલ આખા શહેરમાં છવાઈ ગયો હતો. જ્યાં જુઓ ત્યાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. જોકે આ બધાની વચ્ચે રાષ્ટ્રધ્વજનું સન્માન પણ જળવાઈ તે જરૂરી છે. અને તે દિશામાં પણ કામગીરી કરવી ખુબ જ આવશ્યક છે. ત્યારે સુરતના એક ગ્રુપ દ્વારા આ માટેની પહેલ કરવામાં આવી છે.

તિરંગાના સન્માનમાં મુકાઈ રક્ષાપેટી :

સુરતના એક ગ્રુપ “બી ફોજી” દ્વારા શહેરના કારગિલ ચોક, ડુમસ રોડ ખાતે અને અમરોલી ખાતે તિરંગા રક્ષાપેટી મુકવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ મળી આવે તો તેને રસ્તે રઝળતો મુકવાને બદલે તેઓ તે તિરંગાને આ રક્ષાપેટીમાં મૂકી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દરેક વિસ્તારમાં રક્ષાપેટી મુકવાનું આયોજન :

આ ગ્રુપના સભ્યનું કહેવું છે કે લોકો રાષ્ટ્રધ્વજ તો ઉત્સાહમાં આવીને ફરકાવતા હોય છે. પણ રાષ્ટ્રપર્વ પૂર્ણ થયા પછી તિરંગાનું યોગ્ય માન સન્માન જળવાતું નથી. અને તિરંગા રસ્તા પર રઝળતી હાલતમાં જોવા મળે છે. જેથી બે વર્ષ પહેલા અમારા દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે. અમે શહેરના અનેક વિસ્તારોમાં પણ આ રક્ષાપેટી મુકવાનું આયોજન કર્યું છે. અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો તેઓને રસ્તા પર તિરંગો જોવા મળે તો તેઓ તેને આ રક્ષાપેટીમાં મૂકીને અમને સુપરત કરે, અમે તેનો માન સન્માન સાથે નિકાલ લાવીશું.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">