Surat : પ્રિકોશનરી ડોઝના 30 હજારના ટાર્ગેટ સામે ફક્ત 5700 લોકોએ જ ડોઝ લીધો

કેન્દ્ર સરકાર દ્વારા જેનો વેક્સિનના બંન ડોઝ લીધાને 39 અઠવાડિયાનો સમયગાળો થઈ ગયો હોય તેને હવે પ્રિકોશનરી ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

Surat : પ્રિકોશનરી ડોઝના 30 હજારના ટાર્ગેટ સામે ફક્ત 5700 લોકોએ જ ડોઝ લીધો
Only 5700 people took the dose against the precautionary dose target of 30 thousand(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 1:16 PM

કોરોના (Corona ) સામે બચવા માટે હાલ વેક્સિન (Vaccine ) જ એક ઉપાય છે. જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેની સામે ઝઝૂમવા માટે કોવિડ ગાઈડલાઈનનું (Covid Guideline ) પાલન કરવું તો જરૂરી જ છે. સાથે સાથે વેક્સિનેશન પણ ખૂબ જરૂરી છે. પરંતુ શહેરીજનોએ કોરોનાની બે-બે લહેર જોયા બાદ હવે જાણે ત્રીજી લહેરને ગણકારતા નથી અને વેક્સિન લેવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે.

નોંધનીય છે કે બીજા ડોઝ માટે એલિજેબલ હોય એવા 4 લાખ લોકોએ હજી સુધી વેક્સીન લીધી નથી. બુધવારે પણ શહેરના 164 સેન્ટર પર કોવીશીલ્ડ અને 12 સેન્ટર પર કોવેક્સિન રસીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. આજે પણ 150 જેટલા સેન્ટરો પર રસીકરણ કરવામાં આવનાર છે. જેમાં નાગરિકો પ્રથમ, બીજો અને પ્રિકોશનરી ડોઝ લઇ શકશે.

કેન્દ્ર સરકાર દ્વારા જેનો વેક્સિનના બંન ડોઝ લીધાને 39 અઠવાડિયાનો સમયગાળો થઈ ગયો હોય તેને હવે પ્રિકોશનરી ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેની શરૂઆત 10 જાન્યુઆરીથી કરવામાં આવી હતી. અને બુધવારે તા . 19 જાન્યુઆરીએ પ્રિકોશનરી ડોઝ લેવા માટે મનપા દ્વારા મહાઅભિયાન રાખવામાં આવ્યું હતું અને અંદાજિત 30,000 લોકોને પ્રિકોશનરી ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જેની સામે માત્ર 5700 જ લોકો વેક્સિન લેવા આવ્યા હતા.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

મનપા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, જે હેલ્થ વર્કર , ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરના લોકોનો વેક્સિનના બંને ડોઝ લીધાને 39 અઠવાડિયાનો સમય થઈ ગયો હોય તેઓ તાકીદે પ્રિકોશનરી ડોઝ લઈ લે. અત્યારસુધી સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલો ડોઝ, બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ સહીત કુલ 75.50 લાખ વેક્સિનેશન ડોઝના ઉપયોગ સાથે આખા રાજ્યમાં સુરત મહાનગરપાલિકાએ મોખરાનું સ્થાન મેળવ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ 9 ક્રિટિકલ દર્દી પૈકી રસી ન લેનારા 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઓક્સિજન પર હોય તેવા છ માંથી 4ની રસી હજી બાકી છે, જયારે બે દર્દીઓએ માત્ર 1 જ ડોઝ લીધો છે. વેક્સીન ન લેનારા વાયરસના મ્યુટેશનમાં પણ વધારો કરે છે. જેથી વાયરસ નવા સ્વરૂપો ધારણ ન કરે તે માટે લોકો વેક્સીન લે તે જરૂરી છે.

આ પણ વાંચો :

Surat : પલસાણાની સૌમ્યા ડાઇંગ મિલમાં મોડી રાત્રે આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

લકઝરી બસ દુર્ઘટના : FSL ની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું, બસની ડેકીમાં રાખેલા જ્વલનશીલે કર્યું આગમાં ઘી નાંખવાનું કામ

Latest News Updates

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">