Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

સુરતના તાપી જિલ્લાની બહેનો ઇકો ફ્રેન્ડલી રીતે ગણેશજીની મૂર્તિઓ બનાવીને પગભર થઈ છે. આ મહિલાઓ 1 ફૂટથી લઈને 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે.

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ
Eco Friendly Ganeshji
Follow Us:
| Updated on: Sep 03, 2021 | 7:57 AM

સરકાર દ્વારા આ વર્ષે ગણપતિ (Ganpati) ઉત્સવને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગણેશ ભક્તો ગણપતિ મહોત્સવની ઉજવણી માટે તૈયારીઓમાં લાગી ગયા છે. તેમાં પણ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે. સુરતના તાપી જિલ્લાના બોરખડી ગામની સખી મંડળની બહેનો દ્વારા ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) ગણપતિ તૈયાર કરવામાં આવી આવ્યા છે. આ ગણપતિની ખાસિયત એ છે કે તે નારિયેળીના રેસામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

સરકારની મંજૂરી બાદ ગણેશ આયોજકોએ ગણપતિ ઉત્સવની તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દીધી છે. લોકો હવે પોતાની પસંદગીની ગણપતિજીની પ્રતિમાઓ બુક કરાવવા લાગ્યા છે. હવે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ બેસાડવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ વખતે સુરતના તાપી જિલ્લામાં બોરખડીમાં આવેલ નાની કુંડળ ગામની સ્નેહા સખી મંડળની બહેનો દ્વારા નારિયેળીના રેસામાંથી ગણપતિજીની નાની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

એક ફૂટથી લઈને ચાર ફૂટની ઊંચાઈ સુધીની મૂર્તિઓ આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે. સખી મંડળની મહિલાઓએ આ માટેની ખાસ તાલીમ લીધી છે અને તેની ટ્રેનિંગ લઈને આ મૂર્તિઓ બનાવવાની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ અંગે સ્નેહા સખી મંડળના પ્રમુખ જણાવે છે કે નાળિયેરના રેસામાંથી ગણપતિજી બનાવવા માટે મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી તેઓએ આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં એક ફૂટથી લઈને ચાર ફૂટની મૂર્તિઓ આ મહિલાઓ પોતાના ઘરમાં જ તૈયાર કરે છે. ઘરના કામ અને ખેતીના કામ સાથે આ મહિલાઓ નારિયેળનાના રેસામાંથી વિવિધ વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓ બનાવે છે. આ કામ થકી તેઓ પરિવાર અને કુટુંબને આર્થિક રીતે મદદ પણ કરે છે.

આ મૂર્તિઓ 500 થી લઈને રૂપિયા 5,500 સુધીમાં વેચાતી હોય છે. જેના કારણે મહિલાઓને આર્થિક રીતે પગભર થવા માટે એક અલગ વિકલ્પ મળી ગયો છે. જ્યારે પણ ઘરના કામમાંથી અને ખેતી કામમાંથી મહિલાઓ સમય મળે છે ત્યારે આ બહેનો આ પ્રકારના કામ કરતી હોય છે.

ગણપતિની પ્રતિમાઓ બનાવવાની સાથે સાથે આ મહિલાઓ અલગ અલગ વસ્તુઓ પણ નાળિયેરના રેસામાંથી બનાવે છે. તેવામાં હાલ ગણપતિ મહોત્સવને લઇને આ બહેનોએ વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે .મૂર્તિની કિંમત તેમાં કરવામાં આવેલા શણગાર અને મૂર્તિની સાઈઝના આધારે નક્કી થતી હોય છે.

આ પણ વાંચો :

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">