AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

સુરતના તાપી જિલ્લાની બહેનો ઇકો ફ્રેન્ડલી રીતે ગણેશજીની મૂર્તિઓ બનાવીને પગભર થઈ છે. આ મહિલાઓ 1 ફૂટથી લઈને 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે.

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ
Eco Friendly Ganeshji
| Updated on: Sep 03, 2021 | 7:57 AM
Share

સરકાર દ્વારા આ વર્ષે ગણપતિ (Ganpati) ઉત્સવને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગણેશ ભક્તો ગણપતિ મહોત્સવની ઉજવણી માટે તૈયારીઓમાં લાગી ગયા છે. તેમાં પણ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે. સુરતના તાપી જિલ્લાના બોરખડી ગામની સખી મંડળની બહેનો દ્વારા ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) ગણપતિ તૈયાર કરવામાં આવી આવ્યા છે. આ ગણપતિની ખાસિયત એ છે કે તે નારિયેળીના રેસામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

સરકારની મંજૂરી બાદ ગણેશ આયોજકોએ ગણપતિ ઉત્સવની તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દીધી છે. લોકો હવે પોતાની પસંદગીની ગણપતિજીની પ્રતિમાઓ બુક કરાવવા લાગ્યા છે. હવે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ બેસાડવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ વખતે સુરતના તાપી જિલ્લામાં બોરખડીમાં આવેલ નાની કુંડળ ગામની સ્નેહા સખી મંડળની બહેનો દ્વારા નારિયેળીના રેસામાંથી ગણપતિજીની નાની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

એક ફૂટથી લઈને ચાર ફૂટની ઊંચાઈ સુધીની મૂર્તિઓ આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે. સખી મંડળની મહિલાઓએ આ માટેની ખાસ તાલીમ લીધી છે અને તેની ટ્રેનિંગ લઈને આ મૂર્તિઓ બનાવવાની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે.

આ અંગે સ્નેહા સખી મંડળના પ્રમુખ જણાવે છે કે નાળિયેરના રેસામાંથી ગણપતિજી બનાવવા માટે મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી તેઓએ આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં એક ફૂટથી લઈને ચાર ફૂટની મૂર્તિઓ આ મહિલાઓ પોતાના ઘરમાં જ તૈયાર કરે છે. ઘરના કામ અને ખેતીના કામ સાથે આ મહિલાઓ નારિયેળનાના રેસામાંથી વિવિધ વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓ બનાવે છે. આ કામ થકી તેઓ પરિવાર અને કુટુંબને આર્થિક રીતે મદદ પણ કરે છે.

આ મૂર્તિઓ 500 થી લઈને રૂપિયા 5,500 સુધીમાં વેચાતી હોય છે. જેના કારણે મહિલાઓને આર્થિક રીતે પગભર થવા માટે એક અલગ વિકલ્પ મળી ગયો છે. જ્યારે પણ ઘરના કામમાંથી અને ખેતી કામમાંથી મહિલાઓ સમય મળે છે ત્યારે આ બહેનો આ પ્રકારના કામ કરતી હોય છે.

ગણપતિની પ્રતિમાઓ બનાવવાની સાથે સાથે આ મહિલાઓ અલગ અલગ વસ્તુઓ પણ નાળિયેરના રેસામાંથી બનાવે છે. તેવામાં હાલ ગણપતિ મહોત્સવને લઇને આ બહેનોએ વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે .મૂર્તિની કિંમત તેમાં કરવામાં આવેલા શણગાર અને મૂર્તિની સાઈઝના આધારે નક્કી થતી હોય છે.

આ પણ વાંચો :

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">