AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હવે એકવેરિયમમાં પ્રવેશ મેળવવા પણ ચૂકવવી પડશે તગડી ફી? સ્થાયી સમિતિમાં આજે લેવાશે નિર્ણય

વે સુરતીઓને હરવા ફરવાના સ્થળો જેવા કે એકવેરિયમની મુલાકાત પર પણ જીએસટી વસુલવાની શાસકોની નીતિ સામે સુરતીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 

Surat : હવે એકવેરિયમમાં પ્રવેશ મેળવવા પણ ચૂકવવી પડશે તગડી ફી? સ્થાયી સમિતિમાં આજે લેવાશે નિર્ણય
People might have to pay 18% GST for Aquarium entry
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 1:23 PM
Share

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો(GST) માર માત્ર ટેક્સ્ટાઇલ ઉદ્યોગ(Textile Industry ) ઉપર જ પડશે તેવું નથી . સુરત મહાનગર પાલિકાએ પણ શહેરીજનોનાં ખીસ્સા ખાલી કરવાનો વિચાર કરી લીધો છે . સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત પાલ સ્થિત એક્વેરીયમની મુલાકાત લેનાર લોકોએ હવે પ્રવેશ ફીમાં 18 ટકા વધારે ચૂકવવા પડશે . પાલિકા પ્રવેશ ફી ઉપર 18 ટકા જીએસટી વસુલશે .

વહિવટી સત્તાધીશો દ્વારા જીએસટી વસુલવા બાબતનો અમલ કરવા માટે શાસકો પાસે મંજૂરી માંગવામાં આવી છે . ગુરુવારે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનરની દરખાસ્ત સંદર્ભે નિર્ણય લેવામાં આવશે . પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક  ગોપીતળાવ , સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ફી ઉપર જીએસટી વસુલતી નથી . પરંતુ આગામી દિવસમાં એક્વેરીયમ બાદ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ઉપર જીએસટી લાગુ કરવામાં આવી શકે છે .

હાલમાં જગદીશચંદ્ર બોઝ એક્વેરીયમમાં 18 વર્ષથી 65 વર્ષની વ્યકતિઓ માટે પ્રવેશ ફી 100 રૂપિયા  , 3 થી 17 વર્ષના બાળકો માટે 40 રૂપિયા  , સીનિયર સિટીઝન માટે 60 રૂપિયા  વસુલવામાં આવે છે . આ પ્રવેશ ફીમાં 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવે તો ફીના દર અનુક્રમે 118 રૂપિયા , 47 રૂપિયા , અને 70 રૂપિયા થઇ જશે . જ્યારે 18 વર્ષથી 65 વર્ષના વિદેશી નાગરિકો માટે હાલમાં 400 રૂપિયા પ્રવેશ ફી વસુલાઇ છે એમાં વધારો થઇ 472 રૂપિયા  , વિદેશી 3 થી 17 વર્ષના બાળકો તથા વિદેશી સીનિયર સિટીઝનના 200 રૂપિયાના 236 રૂપિયા થઇ જશે .

આમ, પહેલા કાપડ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને બાર ટકા કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેના પર વેપારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી જ રહ્યો છે. તો તેમાં હવે સુરતીઓને હરવા ફરવાના સ્થળો જેવા કે એકવેરિયમની મુલાકાત પર પણ જીએસટી વસુલવાની શાસકોની નીતિ સામે સુરતીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

આગામી ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. જોવાનું એ રહે છે કે શાસકો એકવેરિયમ પર પ્રવેશ ફી પર 18 ટકા જીએસટી લાગુ કરવાના કામ પર મંજૂરી મૂકે છે કે પછી તેને દફ્તરે કરે છે..

આ પણ વાંચો : Surat : પંજાબના શાંદલિયા બંધુઓએ સુરતના 13 કાપડ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો

આ પણ વાંચો : SURAT : ‘મને ટ્યુશનમાં ન આવડે’ આ વાયરલ વીડિયોએ લોક માનસને ઝંઝોળ્યું, આ ક્યુટ બાળકની જાણો રોચક કહાની

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">