AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : 24 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં, સંક્ર્મણ પણ ઘટતા તંત્રને મોટી રાહત

જોકે સૌથી મોટી રાહત હાલ સુરત આરોગ્ય વિભાગને એ થઇ છે કે કોરોનાનું સંક્ર્મણ ઘટવાની સાથે સાથે મોતના આંકડા પણ ઓછા થઇ રહ્યા છે. આમ, હવે શહેરમાં ત્રીજી લહેરની અસર સંપૂર્ણપણે ઓસરી રહી છે. અને જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. જે શહેરીજનો માટે પણ મોટો હાશકારો છે. 

Surat : 24 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં, સંક્ર્મણ પણ ઘટતા તંત્રને મોટી રાહત
Corona situation in Surat city (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 8:56 AM
Share

શહેરમાં 24 દિવસ બાદ કોરોનામાં(Corona ) એકપણ દર્દીનું મોત થયુ ન હતું જયારે સુરત ગ્રામ્યમાં બે દર્દીના મોત(Death ) સાથે મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. શહેરમાં કોરોનાના 87 નવા કેસ સાથે પાંચ ઝોનમાં 10 ની અંદર કેસો નોંધાયા છે ત્યારે ગ્રામ્યમાં(Rural ) 68 કેસો સાથે છ તાલુકાઓમાં 10 ની અંદર કેસો નોંધાયા હતા.

શહેર – ગ્રામ્યમાં મળીને કુલ 155 કેસો નોંધાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન 443 દર્દીઓ સાજા થયા હતા. શહેરમાં 15 જાન્યુઆરી 2022 ના રોજ કોરોનામાં બે દર્દીઓના મોત નિપજ્યા હતા. ત્યારબાદથી મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. ત્યારે 24 દિવસ બાદ મંગળવારે કોરોનામાં એકપણ દર્દીનું મોત નીપજયું ન હતુ. જે આરોગ્ય વિભાગ માટે એક સારા સમાચાર છે.

શહેરમાં મંગળવારે નવા 87 કેસો સામે આવ્યા હતા . જેમાં નવ ઝોન પૈકી પાંચ ઝોનમાં 10 ની અંદર કેસો નોંધાયા હતા. સૌથી વધારે રાંદેર અને અઠવા ઝોનમાં 19-19 કેસો આવ્યા હતા. લિંબાયત ઝોનમાં 17 અને કતારગામ ઝોનમાં 10 કેસ આવ્યા હતા . વરાછા – એ ઝોનમાં 07 , ઉધના – એ ઝોનમાં 06 , વરાછા – બી ઝોનમાં 05 , ઉધના – બી ઝોનમાં 03 અને સેન્ટ્રલ ઝોનમાં 01 કેસ આવ્યો હતો.

કોરોનાની સારવાર દરમિયાન 201 દર્દીઓ સાજા થયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્યમાં હજુ પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે . મહુવા તાલુકામાં રહેતા 80 વર્ષીય વયોવૃધ્ધ અને ઓલપાડ તાલુકામાં રહેતા 79 વયોવૃદ્ધ મહિલાનું મળીને કુલ બે દર્દીઓના મંગળવારે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે ગ્રામ્યમાં નવા 68 કેસો સામે આવ્યા છે .

જે નવ તાલુકા પૈકી છ તાલુકામાં 10 ની અંદર કેસો નોંધાયા છે. મહુવા તાલુકામાં 15 , માંગરોળ તાલુકામાં 13 અને ઓલપાડ તાલુકામાં 11 કેસો આવ્યા હતા . ત્યારે બારડોલી તાલુકામાં 07 , પલસાણા તાલુકામાં 06 અને ચોર્યાસી , કામરેજ , માંડવી તથા ઉમરપાડા તાલુકામાં 04-04 કેસો નોંધાયા છે . એ સાથે જ સુરત ગ્રામ્યમાં 242 દર્દીઓ કોરોનામાં સાજા થયા હતા.

જોકે સૌથી મોટી રાહત હાલ સુરત આરોગ્ય વિભાગને એ થઇ છે કે કોરોનાનું સંક્ર્મણ ઘટવાની સાથે સાથે મોતના આંકડા પણ ઓછા થઇ રહ્યા છે. આમ, હવે શહેરમાં ત્રીજી લહેરની અસર સંપૂર્ણપણે ઓસરી રહી છે. અને જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. જે શહેરીજનો માટે પણ મોટો હાશકારો છે.

આ પણ વાંચો :

Surat : વિકાસના કામો વેગવંતા બનાવવા કોર્પોરેશન અપનાવશે પીપીપી મોડેલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">