Surat : 24 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં, સંક્ર્મણ પણ ઘટતા તંત્રને મોટી રાહત

જોકે સૌથી મોટી રાહત હાલ સુરત આરોગ્ય વિભાગને એ થઇ છે કે કોરોનાનું સંક્ર્મણ ઘટવાની સાથે સાથે મોતના આંકડા પણ ઓછા થઇ રહ્યા છે. આમ, હવે શહેરમાં ત્રીજી લહેરની અસર સંપૂર્ણપણે ઓસરી રહી છે. અને જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. જે શહેરીજનો માટે પણ મોટો હાશકારો છે. 

Surat : 24 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં, સંક્ર્મણ પણ ઘટતા તંત્રને મોટી રાહત
Corona situation in Surat city (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 8:56 AM

શહેરમાં 24 દિવસ બાદ કોરોનામાં(Corona ) એકપણ દર્દીનું મોત થયુ ન હતું જયારે સુરત ગ્રામ્યમાં બે દર્દીના મોત(Death ) સાથે મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. શહેરમાં કોરોનાના 87 નવા કેસ સાથે પાંચ ઝોનમાં 10 ની અંદર કેસો નોંધાયા છે ત્યારે ગ્રામ્યમાં(Rural ) 68 કેસો સાથે છ તાલુકાઓમાં 10 ની અંદર કેસો નોંધાયા હતા.

શહેર – ગ્રામ્યમાં મળીને કુલ 155 કેસો નોંધાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન 443 દર્દીઓ સાજા થયા હતા. શહેરમાં 15 જાન્યુઆરી 2022 ના રોજ કોરોનામાં બે દર્દીઓના મોત નિપજ્યા હતા. ત્યારબાદથી મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. ત્યારે 24 દિવસ બાદ મંગળવારે કોરોનામાં એકપણ દર્દીનું મોત નીપજયું ન હતુ. જે આરોગ્ય વિભાગ માટે એક સારા સમાચાર છે.

શહેરમાં મંગળવારે નવા 87 કેસો સામે આવ્યા હતા . જેમાં નવ ઝોન પૈકી પાંચ ઝોનમાં 10 ની અંદર કેસો નોંધાયા હતા. સૌથી વધારે રાંદેર અને અઠવા ઝોનમાં 19-19 કેસો આવ્યા હતા. લિંબાયત ઝોનમાં 17 અને કતારગામ ઝોનમાં 10 કેસ આવ્યા હતા . વરાછા – એ ઝોનમાં 07 , ઉધના – એ ઝોનમાં 06 , વરાછા – બી ઝોનમાં 05 , ઉધના – બી ઝોનમાં 03 અને સેન્ટ્રલ ઝોનમાં 01 કેસ આવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોનાની સારવાર દરમિયાન 201 દર્દીઓ સાજા થયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્યમાં હજુ પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે . મહુવા તાલુકામાં રહેતા 80 વર્ષીય વયોવૃધ્ધ અને ઓલપાડ તાલુકામાં રહેતા 79 વયોવૃદ્ધ મહિલાનું મળીને કુલ બે દર્દીઓના મંગળવારે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે ગ્રામ્યમાં નવા 68 કેસો સામે આવ્યા છે .

જે નવ તાલુકા પૈકી છ તાલુકામાં 10 ની અંદર કેસો નોંધાયા છે. મહુવા તાલુકામાં 15 , માંગરોળ તાલુકામાં 13 અને ઓલપાડ તાલુકામાં 11 કેસો આવ્યા હતા . ત્યારે બારડોલી તાલુકામાં 07 , પલસાણા તાલુકામાં 06 અને ચોર્યાસી , કામરેજ , માંડવી તથા ઉમરપાડા તાલુકામાં 04-04 કેસો નોંધાયા છે . એ સાથે જ સુરત ગ્રામ્યમાં 242 દર્દીઓ કોરોનામાં સાજા થયા હતા.

જોકે સૌથી મોટી રાહત હાલ સુરત આરોગ્ય વિભાગને એ થઇ છે કે કોરોનાનું સંક્ર્મણ ઘટવાની સાથે સાથે મોતના આંકડા પણ ઓછા થઇ રહ્યા છે. આમ, હવે શહેરમાં ત્રીજી લહેરની અસર સંપૂર્ણપણે ઓસરી રહી છે. અને જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. જે શહેરીજનો માટે પણ મોટો હાશકારો છે.

આ પણ વાંચો :

Surat : વિકાસના કામો વેગવંતા બનાવવા કોર્પોરેશન અપનાવશે પીપીપી મોડેલ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">