AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે

સુરતમાં રાંદેર વિસ્તારમાં 3, કતારગામ ઝોનમાં 1, અઠવા ઝોનમાં 6, ઉધના ઝોનમાં 4 અને વરાછા ઝોનમાં 2 મળીને કુલ 13 નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે.

Surat : નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે
Surat: New fire station to be opened in Pune area in October, 13 more fire stations approved
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 3:40 PM
Share

સુરત ફાયર વિભાગ(Surat Fire Department ) હવે વધારે સજ્જ થઇ રહ્યું છે. શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને હવે વધારાના 13 ફાયર સ્ટેશન(Fire Station ) બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે જ ફાયર ફાઇટિંગ માટે જરૂરી મહેકમ પણ ઉભા કરવાની દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં ફાયર ફાઇટિંગ માં મદદરૂપ થઇ રહે તેવા અત્યાધુનિક સાધનો પણ વસાવવાની દિશામાં કોર્પોરેશને કામગિરી શરૂ કરી દીધી છે.

આવનારા ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં પુણા ગામ વિસ્તારમાં આવેલા પુણા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ફાયરસ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. હાલ સુરતમાં 16 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત છે. અને હજી બીજા નવા 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી પુણા વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તેવી સંભાવના છે.

ફાયર વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરી બાબતે મેયર અને સબંધીત ફાયર અધિકારીઓ વચ્ચે એક બેઠક પણ મળી હતી. વિવિધ કેટેગરીની 1055 શીડ્યુલ્ડ પૈકીની જગ્યામાંથી હાલ 902 જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. જયારે અન્ય જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ પર પણ ભરતી કરવાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે.

શહરમાં આયોજન હેઠળના નવા ફાયર સ્ટેશનો બાબતે સ્ટાફની જરૂરિયાત બાબતની દરખાસ્ત પર સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. ફાયર વિભાગના કુલ 48 ડ્રાઈવરો પૈકી માત્ર 20 ડ્રાઇવરોને જ યુનિફોર્મ મળ્યા છે. ડ્રાઈવર, ક્લીનર, માર્શલ, લીડર, જમાદારને દોઢ વર્ષથી યુનિફોર્મ મળ્યા નથી. અને ઝડપથી તેઓ તમામને પણ યુનિફોર્મ ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે.

આમ, શહેરમાં વસ્તી અને વ્યાપ વધતા ફાયર સ્ટેશનોની સંખ્યા અને ફાયર સ્ટાફ વધારવો એ સમયની માંગ હતી. જેને પુરી કરવા માટે હવે સુરત મહાનગરપાલિકાએ કામગીરી આરંભી છે. સુરતમાં રાંદેર વિસ્તારમાં 3, કતારગામ ઝોનમાં 1, અથવા ઝોનમાં 6, ઉધના ઝોનમાં 4 અને વરાછા ઝોનમાં 2 મળીને કુલ 13 નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. તેના માટે જરૂરી મહેકમ અંગેની પણ રજુઆત કરી દેવામાં આવી છે. અને કેટલીક જગ્યાઓ પર તો ભરતી ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન, મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે

આ પણ વાંચો :

Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">