Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન

ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશન 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખી રહી છે. પરંતુ જો પીએમ મોદીના જન્મદિવસે જે રીતે વેક્સિનેશન થયું હતું તે પ્રમાણે જો વેક્સિનેશનની કામગીરી કરવામાં આવે તો આ લક્ષ્યાંક તેના કરતા પણ ઝડપથી પાર પડી શકે તેમ છે. 

Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન
Surat: Record of vaccination to 2.05 lakh people on PM's birthday, only 18,711 people vaccinated in next 4 days
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 8:19 AM

સુરત મહાનગરપાલિકા દ્વારા રેકોર્ડ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે 2.5 લાખ લોકોને વેક્સીન આપી હતી. પરંતુ તેના પછીના ચાર દિવસોમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન મુકવામાં આવી છે. જેમાં પહેલા ડોઝ લેનાર વ્યક્તિઓની સંખ્યા ફક્ત 9 હજાર જ છે. 17 સપ્ટેમ્બરે 310 સેન્ટરો પરથી 87283 લોકોને પહેલો અને 1,15,138 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 

જોકે તેના પછી સતત ત્રણ દિવસ સુધી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને કોવીશીલ્ડ વેક્સિનની સપ્લાય મળી નથી. જુના સ્ટોકથી જ શનિવારે 4 હજાર ડોઝ લગાવવામાં આવ્યા હતા. રવિવારે વેક્સિનેશન માટે બ્રેક રાખવામાં આવ્યો હતો. અને સોમવારે ફક્ત કોવેક્સિનના 11,691 ડોઝ લગાવવામાં આવ્યા હતા. મંગળવારે 3020 વેક્સીન મુકવામાં આવી હતી. આમ, સ્પેશ્યલ ડ્રાઈવ પછી ચાર દિવસમાં ફક્ત 18,711 ડોઝ જ આપવામાં આવ્યું છે. અને આ હિસાબે જો વેક્સિનેશન કામગીરી ચાલશે તો 100 ટકા વેક્સિનેશન માટે એક મહિના જેટલો સમય નીકળી જશે.

પીએમ મોદીના જન્મદિવસ પહેલા કોર્પોરેશને ત્રણ દિવસમાં 1 લાખ 3 હજાર લોકોને વેક્સીન આપી હતી, નોંધનીય છે કે શહેરમાં 34 લાખ 32 હજાર 737 લોકો એલિજેબલ છે. જેમાંથી 32,16,668 લોકોને વેક્સિંન નો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. બાકીના 2,16,069 લોકો વેક્સિનનો પહેલો ડોઝ લઇ નથી શક્ય. પાછળ ચાર દિવસમાં 19 હજાર લોકોને જ પહેલો અને બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. જેમાં પહેલા ડોઝ લેનારની સંખ્યા 9 હજાર જેટલી છે.

રિજનલ સ્ટોરેજ સેન્ટરને 17 સપ્ટેમ્બરે મંગળવારે 1 લાખ 38 હજાર ડોઝ મળ્યા હતા. જેમાંથી 80 હજાર ડોઝ મહાનગર પાલિકાને આપવામાં આવ્યા હાટ. બદૂધવારે શહેરમાં 171 સેંટર પર વેક્સિનેશન થશે. મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકનું કહેવું છે કે 32 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લાગી ચુક્યો છે. બાકીના 2 લાખ 16 હજાર લોકોને 2 ઓક્ટોબર સુધી પહેલો ડોઝ લગાવવાનો લક્ષ્યાંક છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આરોગ્ય વિભાગ પાસેથી મળેલા આંકડા પ્રમાણે જોવા જઈએ તો

તારીખ                         ડોઝ 14                            40,908 15                            38,366 16                            34,308 17                         2,05,909 18                             4000 19                            ——- 20                        11,691 21                           3020

કુલ                      3,38,202

આમ, હવે ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશન 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખી રહી છે. પરંતુ જો પીએમ મોદીના જન્મદિવસે જે રીતે વેક્સિનેશન થયું હતું તે પ્રમાણે જો વેક્સિનેશનની કામગીરી કરવામાં આવે તો આ લક્ષ્યાંક તેના કરતા પણ ઝડપથી પાર પડી શકે તેમ છે.

આ પણ વાંચો : Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે

આ પણ વાંચો : Gujarat : ધોરાજીમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં ધોધમાર, પ્રાંતિજ અને કપરાડામાં ભારે વરસાદ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">