Surat: કોવિડ પોર્ટલ પર ડેટા નહીં મુકતી સેન્ટ્રલ ઝોનની 40 બેંકને પાલિકાની નોટિસ

કોરોના સંક્ર્મણ દરમ્યાન એક જ બેંકમાં અસંખ્ય કર્મચારીઓ સંક્રમિત થવાના બનાવો પણ બન્યા હતા. શહેરની ઘોડદોડ રોડ, વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી બેંકમાં એક સાથે પંદરથી વધારે બેન્ક કર્મચારીઓ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. 

Surat: કોવિડ પોર્ટલ પર ડેટા નહીં મુકતી સેન્ટ્રલ ઝોનની 40 બેંકને પાલિકાની નોટિસ
Surat Municipal Corporation (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 1:36 PM

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા ઘણી ગાઈડલાઈન (Guideline) બનાવવામાં આવી છે અને આ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સુરત (Surat) શહેરમાં મનપા દ્વારા જે – તે ક્ષેત્રની સંસ્થાઓને સુરક્ષા કવચ સમિતિ બનાવવા માટે સૂચના આપી છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતાં જ આ સમિતિઓને ફરી રિએક્ટિવ કરી કોવિડની તમામ એસ.ઓ.પી.નું પાલન કરવા માટેની સૂચના અપાઈ હતી અને સુરત મનપાના કોવિડ પોર્ટલ (Covid Portal) પર તમામ અપડેટ આપવા માટે પણ સૂચના અપાઈ છે.

પરંતુ ઘણી સંસ્થાઓ મનપાની સૂચનાઓનો અનાદર કરી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં સોમવારે મનપાના ડે.કમિશનર સ્વાતિ દેસાઈએ વિવિધ બેંકોમાં ચેકિંગ કરતાં માલૂમ પડ્યું હતું કે સેન્ટ્રલ ઝોનમાં 40 જેટલી બેંકની બ્રાંચ દ્વારા કોવિડ પોર્ટલ પર અપડેટ આપવામાં આવતી નથી. જેથી ડે.કમિશનર સ્વાતિ દેસાઈ દ્વારા આ તમામ બ્રાંચને નોટિસ ફટકારવામાં આવી હતી.

કોવિડના ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણ અટકાવવા માટે સરકારની વખતોવખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે સુરક્ષા કવચ સમિતિ બનાવાઈ છે. જેને હાલ ફરીવાર રિએક્ટિવ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કોવિડ -19 પોર્ટલ ઉપર બેંકો દ્વારા રોજેરોજ જવાબદાર વ્યક્તિએ ભૂલ્યા વગર એન્ટ્રી કરવાની રહે છે અને કોવિડ એસઓપી – ગાઈડલાઈનનું ચુસ્તપણે તમામ બેન્કો દ્વારા પાલન કરવાનું હોય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાલમાં શહેરમાં ડે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધી રહેલી કોવિડની પરિસ્થિતિ ધ્યાને લેતાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી બેન્કો દ્વારા સુરક્ષા કવચ સમિતિમાં નિયમિતપણે એન્ટ્રી કરવા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં તેમાં એન્ટ્રી ન થતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર સ્વાતિ દેસાઈએ કોવિડ સંક્રમણ અટકાવી શકાય એ માટે વેક્સિનેશન ઉપરાંત કોવિડ અંગેની માહિતી સુરત મહાનગરપાલિકાના પોર્ટલ પર રોજેરોજ એન્ટ્રી ન કરતાં 40 જેટલી બેન્ક બ્રાંચને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા બાબતે નોટિસો આપવામાં આવી હતી.

નોંધનીય છે કે કોરોના સંક્ર્મણ દરમ્યાન એક જ બેંકમાં અસંખ્ય કર્મચારીઓ સંક્રમિત થવાના બનાવો પણ બન્યા હતા. શહેરની ઘોડદોડ રોડ, વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી બેંકમાં એક સાથે પંદરથી વધારે બેન્ક કર્મચારીઓ પોઝિટીવ આવતા તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat: કોરોનાની ગંભીર સ્થિતિ ન હોય પહેલી ફેબ્રુઆરીથી 1થી 9ની શાળા રાબેતા મુજબ શરૂ કરવા માંગ

આ પણ વાંચો : Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">