AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોરોનાની ગંભીર સ્થિતિ ન હોય પહેલી ફેબ્રુઆરીથી 1થી 9ની શાળા રાબેતા મુજબ શરૂ કરવા માંગ

સૌથી વધારે કેસ જે રાજ્યમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ 24 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે.

Surat: કોરોનાની ગંભીર સ્થિતિ ન હોય પહેલી ફેબ્રુઆરીથી 1થી 9ની શાળા રાબેતા મુજબ શરૂ કરવા માંગ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 11:32 AM
Share

કોરોના સંક્રમણ (Corona virus)ને જોતા તારીખ 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો પણ થઈ રહ્યો છે અને એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ નથી થયું, ત્યારે સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળ દ્વારા સરકારને શાળાઓ ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

તારીખ પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9ની શાળાઓ ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ત્રીજી લહેર બીજી લહેર જેવી ભયાનક નથી, હાલ જનજીવન પણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે.

સૌથી વધારે કેસ જે રાજ્યમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ 24 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં કોઈ ગંભીર પરિસ્થિતિ નથી, ત્યાં શાળાઓ શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 15થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે.

જેમાં મોટાભાગની શાળાઓમાં એલિજેબલ વિદ્યાર્થીઓનું 94 ટકા જેટલું રસીકરણ થઈ પણ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ પર ગંભીર ખતરો ટળ્યો છે. લાંબા લોકડાઉન બાદ વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ હજી બે થી લઈને છ મહિના પહેલા જ રાબેતા મુજબ શરૂ થયું હતું. જેથી તેમની માનસિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણીક પરિસ્થિતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ઓનલાઈન શિક્ષણ દરમ્યાન બાળકોને ઘણા બધા પ્રકારની સમસ્યા જેમાં ગેમ્સ, સોશિયલ મીડિયા, મોબાઈલનું વળગણ થઈ જવું, ચીડિયાપણું, એકલતાપણું જેવા મનોવૈજ્ઞાનિક ફેરફારો તેમનામાં આવ્યા હતા. ત્રીજી લહેરના લીધે બંધ થયેલ પ્રત્યક્ષ શિક્ષણ ફરી પ્રભાવિત થયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત જેવા રાજ્યમાં કોરોનાની કોઈ ગંભીર પરિસ્થિતિ ન હોય શાળાઓ ફરી શરૂ કરવી જોઈએ તેવી માંગણી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : SURAT: નિષ્ઠુર માતાની કરતૂત, નવજાત બાળકીને મૃત હાલતમાં ગટરમાં ફેંકી થઈ ફરાર ગઈ

આ પણ વાંચો : Surat: અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર માચીસ ચાંપી સળગાવાનો પ્રયાસ કર્યો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">