AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પરવત પાટીયા બીઆરટીએસ કેનાલ પાસે ત્રણ દિવસથી નહેર ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો બગાડ

લિંબાયત ઝોન વિસ્તારમાં પરવત પાટીયા પાસે બીઆરટીએસ કેનાલ રોડ પર છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતો માટે છોડવામાં આવેલા સિંચાઈનું પાણી (Water) નહેરમાંથી ઓવરફ્લો થઈ રહ્યું છે.

Surat : પરવત પાટીયા બીઆરટીએસ કેનાલ પાસે ત્રણ દિવસથી નહેર ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો બગાડ
Surat: Millions of liters of water wasted due to canal overflow for three days
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 28, 2022 | 4:55 PM
Share

સુરત (Surat) શહેરમાં એક તરફ કાળઝાળ ગરમીના પ્રારંભ સાથે જ પાણીની (Water) સમસ્યા સર્જાવા પામી છે. ત્યારે વિભાગની ધરાર લાપરવાહીને પગલે બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી લાખ્ખો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. પરવત પાટીયા પાસે નહેરમાંથી (Canal) પાણી ઓવરફ્લો (Over flow) થવાને કારણે લોકોમાં પણ પાણીના આ રીતના બગાડને પગલે નહેર વિભાગની આળસ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

લિંબાયત ઝોન વિસ્તારમાં પરવત પાટીયા પાસે બીઆરટીએસ કેનાલ રોડ પર છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતો માટે છોડવામાં આવેલા સિંચાઈનું પાણી નહેરમાંથી ઓવરફ્લો થઈ રહ્યું છે. જેને પગલે આખો દિવસ રસ્તો પાણી પાણી રહેતા વાહન ચાલકો પણ સામનો કરી રહ્યા છે. ભરઉનાળે પાણીના અભાવે ખેતરોમાં ઉભો પાકી નાશ પામે તેવી શક્યતાઓ વચ્ચે આ રીતે પાણીનો બગાડ જોતાં નહેર વિભાગની લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે.

આશ્ચર્યની સાથે આઘાતની વાત એ છે કે જ્યાં આ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે તેની સામે જ સ્થાનિક કોર્પોરેટરનું જનસંપર્ક કાર્યાલય હોવા છતાં તેઓ દ્વારા પણ આ અંગે કોઈ રજુઆત કરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું નથી. પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, જે રીતે સતત પાણીનો વ્યય થઈ રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ભરઉનાળામાં આ રીતે પાણીના વેડફાટ સંદર્ભે સિંચાઈ વિભાગના અધિકારીઓને રજુઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી તેઓ પણ કોઈ હકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી નથી.

આ પણ વાંચો

સિંચાઈ વિભાગ દ્વારા સ્થાનિકો પર દોષારોપણ

પરવત પાટીયા પાસે નહેરથી પાણીના ઓવરફ્લો થવાની ઘટના સંદર્ભે સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર ઘટના અંગે સ્થાનિકો અને મનપાના આરોગ્ય વિભાગને જ જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા પોતાની લાપરવાહી પર પડદો નાખવા માટે જણાવાયું હતું કે, નહેરમાં લોકો દ્વારા કચરો નાખવામાં આવતાં નહેરમાં બ્લોકેજની સમસ્યા ઉદ્ભવે છે અને આ અંગે અનેક વખત નહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવા છતાં આ સમસ્યા કાયમી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લોકો નહેરને ઉકરડો ન બનાવે તેની તકેદારી રાખવી જોઈએ.

આ પણ વાંચો :કચ્છના જખૌમાંથી ઝડપાયેલા રૂ. 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હીથી ચાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો :Surat: અમરોલી વિસ્તારમાં પિતાએ પોતાના જ દીકરાનું કારાવડાવ્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">