AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: અમરોલી વિસ્તારમાં પિતાએ દીકરાનું કારાવડાવ્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો

Surat: નશાના રવાડે ચડી વતનમાં રહેતા પિતાના ઘરે જતો ન હોવાથી યુવા પુત્રને નશામુક્તિ કેન્દ્રમાં ખસેડવા મામલે તેના જ પિતાના ઈશારે અપહરણ કરનારા ચારેય અપહરણ કર્તાઓની અમરોલી પોલીસે (Surat Police) અટકાયત કરી છે.

Surat: અમરોલી વિસ્તારમાં પિતાએ દીકરાનું કારાવડાવ્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો
Surat Amroli police stationImage Credit source: Image Credit Source: File Photo
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 28, 2022 | 4:15 PM
Share

Surat: અમરોલી છાપરાભાઠા રોડ સ્થિત અમરદીપ સોસાયટીમાં કૌટુંબિક ભાઈ સાથે રહી લોન કન્સલ્ટીંગનું કામ કરતાં યુવકનું અપહરણ (Kidnapping) થયું હોવાની ઘટના સામે આવી હતી. ગત મધરાત્રીએ સ્કોર્પિયો કારમાં આવેલાં ચાર મળતીયા અપહરણ કરીને જીયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે લઈ ગયા હતા. નશાના રવાડે ચડી વતનમાં રહેતા પિતાના ઘરે જતો ન હોવાથી યુવા પુત્રને નશામુક્તિ કેન્દ્રમાં ખસેડવા મામલે તેના જ પિતાના ઈશારે અપહરણ કરનારા ચારેય અપહરણ કર્તાઓની અમરોલી પોલીસે (Surat Police) અટકાયત કરી છે.

શહેરમાંથી વધુ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાના દીકરો વ્યસનની લતે લાગી ગયો હતો. જેને લઈ પિતાએ પોતાના દીકરાને વ્યસન મુક્તિ કરવામાં માટે અનેક પ્રયાસો કર્યા હતા પણ કોઈ નિકાલ ન આવતા આખરે ન કરવાનું કર્યું. પોતાના દીકરા સાથે પિતાએ ખાનગી વ્યસન મુક્તિ કેન્દ્રના માણસો સાથે દીકરાનું અપહરણ કરાવ્યું હતું. ઘટના છે સુરતના અમરોલી વિસ્તારની મુળ સૌરાષ્ટ્રના અમરેલીના લાઠી તાલુકાના પીપરીયા ગામનાં વતની અને હાલ અમરોલી છાપરાભાઠાં રોડ સ્થિત અમરદીપ સોસાયટીના ફલેટ નં- એ-3 -403માં રહેતા કૌટુંબિક કલ્પેશભાઈ લલીતભાઈ માલવીયા સાથે રહી સોસાયટીમાં જ સાંઈ વેદ એન્ટરપ્રાઈઝના નામથી લોનની ઓફિસ ધરાવતાં 34 વર્ષીય જગદીશભાઈ પ્રેમજીભાઈ માલવિયાની.

તેને દારૂની લતે ચઢયા હોવાથી વતનમાં રહેતા પિતાના ઘરે જતા ન હતા. જેથી 70 વર્ષીય પિતા પ્રેમજીભાઈ માલવીયા દ્વારા ગત મધ્યરાત્રીના 12.30 વાગ્યાના અરસામાં અબ્રામારોડ પર આવેલા જી. ફાર્મમાં ચાલતા જીયા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતાં પરિચિતોને મોકલ્યા હતા. લોનનું કામ હોવાનું બહાનું કાઢી બહાર બોલાવ્યા બાદ આ ચારેય જણા સ્કોર્પિયો કારમાં બેસાડી જગદીશભાઈને અપહરણ કરી ટ્રસ્ટવી ઓફિસે લઈ ગયા હતા.

આમ બીજી તરફ સમગ્ર હકીકતથી અજાણ કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયા દ્વારા આપહરણ મામલે અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. રાત્રીના સમયે મોબાઈલ બંધ આવતા અમરોલી પોલીસે આજરોજ સવારે મોબાઈલ લોકેશનનાં આધારે અપહરણ કરનારા જતીનભાઈ નટરવરભાઈ પટેલ, તથા મયુરભાઈ ગોરધનભાઈ ઘેલાણી, તેમજ વિજયકુમાર મોહનલાલ પરમાર અને શબ્બીર હુસેનગુલામ અબ્બાસ મોમીનને ઝડપી પાડયા હતા. અમરોલી પોલીસે કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયાની ફરિયાદ લઈ ચારેય વિરુધ અપહરણનો ગુનો અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પિતા અને બીજા ત્રણ લોકોને અમરોલી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે મહત્વનું એ છે કે પિતાએ કેટલી હદે પરેશાન થયા હશે કે પોતાના જ દીકરાનું અપહરણ કરવાડાવું પડ્યું.

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">