AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વરાછાની વર્ષો જૂની અશોકનગર ઝૂંપડપટ્ટી પાસે હાથ ધરાયું મેગા ડિમોલિશન

ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ  જણાવ્યું હતું કે, સરકારને એટલું નિવેદન છે કે, અમને થોડો સપોર્ટ મળવો જોઈએ. અમે પણ ભારતના નાગરિક છીએ. અમને પણ જીવવાનો અધિકાર છે. એક અપીલ છે કે, આટલા વર્ષો પછી અમે ક્યાં જઈશું.

Surat: વરાછાની વર્ષો જૂની અશોકનગર ઝૂંપડપટ્ટી પાસે હાથ ધરાયું મેગા ડિમોલિશન
Baldev Suthar
| Edited By: | Updated on: May 03, 2023 | 6:48 PM
Share

સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે આવેલી અશોકનગર ઝૂંપડપટ્ટીમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ પાલિકાના વરાછા ઝોનની ટીમો પહોંચી ગઈ હતી અને  મેગા ડિમોલિશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનના પગલે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

વરાછા ઝોન દ્વારા ડિમોલિશન હાથ ધરાયું

સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ ખાતે વર્ષો જૂની અશોકનગર ઝૂંપડપટ્ટી આવેલી છે. આ ઝુપડપટ્ટી રેલવે લાઈન નજીક આવેલી છે. પાલિકા દ્વારા આ ઝૂંપડપટ્ટીને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે વહેલી સવારથી જ પાલિકાના વરાછા ઝોન દ્વારા મોગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

ઝૂંપડપટ્ટી 50 વર્ષથી  અસ્તિત્વમાં છે

ઝૂંપડપટ્ટીના રહેવાસી અશ્વિન વાડતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ. આ ઝુપડપટ્ટી 50 વર્ષથી છે. અત્યાર સુધી પાલિકા દ્વારા અમને કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. આજ સુધી આ ઝુપડપટ્ટીને બચાવવા ખૂબ જ મહેનત કરી છે. રેલવે ટ્રેકથી 15થી 17 ફૂટ સુધી રેલવેની જગ્યા હોવાના નિશાન કરવામાં આવેલા છે. આ નિશાનો જોયા વગર જ આ આખી ઝૂંપડપટ્ટી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઝૂંપડપટ્ટીમાં 576 પરિવાર રહેતા હતા

વધુમાં જણાવ્યું હતું કે, આ ઝૂંપડપટ્ટી 50 વર્ષથી છે. જેમાં 576 ઘર છે. હું અહીં નાનેથી મોટો થયો છું. અત્યારથી પરિસ્થિતિ એવી છે અમને કોઈ ભાડે રૂમ પણ નથી આપતું. આ વિસ્તારમાં હાલ ડિમોલિશનના કારણે કેટલાક લોકો રેલવે ટ્રેક પર પોતાના સામાન રાખીને બેઠાં છે. અત્યારે એવી ભયાનક પરિસ્થિતિ છે કે કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. લોકોમાં રોષ સાથે દુખ પણ છે.

આટલા વર્ષો પછી અમે ક્યાં જઈશું એવો  રહીશોનો પ્રશ્ન

ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ  જણાવ્યું હતું કે, સરકારને એટલું નિવેદન છે કે, અમને થોડો સપોર્ટ મળવો જોઈએ. અમે પણ ભારતના નાગરિક છીએ. અમને પણ જીવવાનો અધિકાર છે. એક અપીલ છે કે, આટલા વર્ષો પછી અમે ક્યાં જઈશું. બેઘર થઈ ગયા છે. ન ઘરનું ઠેકાણું છે કે રહેવાનું. હાલ આ પરિસ્થિતિ વચ્ચે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.

બે મહિનાના સંવાદ બાદ ડિમોલિશન હાથ ધરાયું હતું.

ડીએચ ગોર (રેલવે DySP)એ જણાવ્યું હતું કે, આજે 450 જેટલા ઘરોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનાથી આ માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">