Surat : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં એર કન્ડિશન બંધ, દર્દીઓ પરેશાન

સુરત(Surat) નવી સિવિલ હોસ્પિટલમાં પીઆઇસીયુમાં એ.સી બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા આપી રહ્યા છે. જ્યારે અન્ય દર્દીના સબંધી ત્યાં સારવાર લેતા બાળકને ગરમી ના લાગે તે માટે પેપર કે ફાઇલનો પંખો  બનાવીને હવા આપી રહ્યા છે.

Surat : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં એર કન્ડિશન બંધ, દર્દીઓ પરેશાન
Surat New Civil Hospital
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 26, 2022 | 4:56 PM

ગુજરાતમાં એક બાજુ ઉનાળાની(Summer) કાળઝાળ ગરમી શરૃ થઇ છે ત્યારે સુરત નવી સિવિલના(New Civil Hospital)  બાળકોના વોર્ડમાં (Pediatric ward) પીઆઇસીયુમાં એ.સી બંધ થઈ ગયું છે. તેથી દર્દીના સબંધીઓ પરેશાન છે. જ્યારે કોઇ પેપર કે ફાઇલની મદદથી  દર્દીને હવા કરી રહ્યા છે. બાળકોના વોર્ડમાં પણ 7 થી8 પંખા પણ બંધ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલના ચોથા માળે બાળકોનાં વોર્ડમાં વિવિધ તકલીફ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે. જેમાં ગંભીર હાલતના બાળકોને ચાર- ચાર બેડના 2 પીઆઇસીયુમાં સારવાર આપવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં બાળ દર્દીઓને રાહત મળે અને તકલીફ દૂર થાય તે માટે બંને પીઆઇસીયુમાં ચાર-પાંચ દિવસ પહેલા બે નવા એ.સી નાંખવામાં આવ્યા હતા.

બાળકોના વોર્ડમાં 7 થી 8 પંખા પણ ઘણા સમયથી બંધ

જેમાં એક પીઆઇસીયુમાં એ.સી ત્રણ દિવસ પહેલા બંધ થઈ ગયું હતું. જેના લીધે પીઆઇસીયુમાં સારવાર લેતા દર્દીની હાલત કફોડી થઈ ગઈ છે. વોર્ડના સ્ટાફે આ અંગે પીઆઇયુના ઈલેક્ટ્રીક વિભાગને જાણ કરી છે પણ આજે સવાર સુધી બંધ થયેલું એ.સી ચાલુ નહિ થતા ફરી વોર્ડના સ્ટાફે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત બાળકોના વોર્ડમાં 7 થી 8 પંખા પણ ઘણા સમયથી બંધ થઇ ગયા છે. જેથી પંખા રિપેરીંગ કરવા કે નવા નાંખવા અંગે વોર્ડના સ્ટાફે ફરિયાદ કરી હતી પણ આ અંગે ગંભીર દાખવતા નથી.

બીજી તરફ પીઆઇસીયુમાં એ.સી બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા આપી રહ્યા છે. જ્યારે અન્ય દર્દીના સબંધી ત્યાં સારવાર લેતા બાળકને ગરમી ના લાગે તે માટે પેપર કે ફાઇલથી  હવા આપી રહ્યા છે. અદ્યતન સિવિલના દાવા વચ્ચે  દર્દીઓને  હાલાકી પડી રહી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સિવિલના બાળકોના વોર્ડમાં પીઆઇસીયુમાં વેન્ટિલેટર પર મુકવામાં આવેલા છે. જોકે ત્યાં એ.સી બંધ હોવાથી વેન્ટિલેટરનું કોમ્પ્રેસર ગરમ થતું હોય છે. જેથી ત્યાં ગરમીનું પ્રમાણ વધતુ હોય છે. અને આ ગરમીના કારણે દાખલ બાળકોને તકલીફ થતી હોય છે. જેને કારણે બાળકની હાલત ગંભીર થવાની પણ શક્યતા છે. સારવાર લેતા બાળકો અને મહત્વના સાધનો માટે એ.સી ખુબ જરૃરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હાલ તો સિવિલ હોસ્પિટલ દ્વારા આ બાબતે બાળકોના વોર્ડ દ્વારા સિવિલ તંત્રને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છતાં પણ છેલ્લા 10 દિવસથી કોઈ સાંભળતું નથી જો કોઈ નેતા કે મોટો કાર્યક્રમ હોય તો લાખો રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવતો હોય છે તો તાત્કાલિક સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો :  અમદાવાદમાંથી ફરી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, એસ.ઓ.જીની ટીમે બે આરોપીઓની કરી ધરપકડ

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો 1 મેના રોજનો ગુજરાત પ્રવાસ રદ, દાહોદની આદિવાસી રેલીમાં હાજરી નહીં આપે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">