Surat : RTOમાં રોજ 500 વાહનોમાં લાગી રહી છે HSRP નંબર પ્લેટ, હજી સાત લાખ વાહનો બાકી

તેની સામે રોજની 400 જેટલી અરજીઓ નવી નંબર પ્લેટ ફિટ કરાવવા માટે આરટીઓ પાસે આવી રહી છે. આ પહેલા વાહનચાલકોમાં એટલી જાગૃતિ ન હતી, પરંતુ આ વખતે સમય મર્યાદા વધારવામાં નહીં આવતા લોકો સતર્ક થઇ ગયા હતા.

Surat : RTOમાં રોજ 500 વાહનોમાં લાગી રહી છે HSRP નંબર પ્લેટ, હજી સાત લાખ વાહનો બાકી
Surat: In RTO, 500 vehicles are getting HSRP number plates every day, yet seven lakh vehicles are left
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:28 PM

સુરતના ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ એટલે કે HSRP પ્લેટ લગાવવાનું ફરજીયાત છે. વર્ષ 2019થી આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ઘણા લોકોએ આ નંબર પ્લેટ લગાવી દીધી હતી. અને જે લોકોના વાહનો પર આ નંબર પ્લેટ નહોતી તેઓને દંડ પણ ફટકારવામાં આવ્યા હતા. 

હવે મહિનામાં 3 હજાર જેટલી અરજીઓ આ HSRP નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓમાં આવી રહી છે. બધા જ વાહનોમાં આ નંબર પ્લેટ લગાવવાનું કામ ઝડપથી પૂર્ણ થઇ શકે તે માટે રોજના બે ગણા કરતા પણ વધારે વાહનોમાં આ નંબર પ્લેટ ફિટ કરાવવામાં આવી રહી છે. હાલ સુરત આરટીઓમાં રોજના 500 જેટલા વાહનોમાં આ નંબર પ્લેટ લગાવવામાં આવી રહી છે.

તેની સામે રોજની 400 જેટલી અરજીઓ નવી નંબર પ્લેટ ફિટ કરાવવા માટે આરટીઓ પાસે આવી રહી છે. આ પહેલા વાહનચાલકોમાં એટલી જાગૃતિ ન હતી, પરંતુ આ વખતે સમય મર્યાદા વધારવામાં નહીં આવતા લોકો સતર્ક થઇ ગયા હતા. અને એ વાતથી વાકેફ થઇ ગયા હતા કે હવે નંબર પ્લેટ નહીં લગાવવાથી મેમો અને દંડ ફટકારવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શહેરમાં 33 લાખ વાહનો :  સુરત શહેરમાં કુલ 33 લાખ વાહનો રસ્તા પર દોડી રહ્યા છે. જેમાંથી હજી પણ સાત લાખ જેટલા વાહનોમાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવાની બાકી છે. નવી નંબર પ્લેટ લગાવવા માટે શહેરમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેથી આરટીઓ કચેરીમાં આવીને લોકો નવી નંબર પ્લેટ લગાવી શકે.

શું કરવામાં આવી છે તૈયારી ? આરટીઓ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા દિવસોમાં કેમ્પ લગાવીને લોકોને એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો નંબર પ્લેટ બદલાવતા નથી. અધિકારીઓના કહેવા મુજબ ફરી એકવાર કેમ્પ અને અભિયાન કરીને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવાનો 100 ટકા લક્ષયાંક હાંસિલ કરી શકાય. જોકે જે રીતે પાછલા કેટલાક દિવસોમાં ધસારો વધ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે લોકોમાં હવે નવી નંબર પ્લેટ લગાવવા માટે જાગૃતિ આવી રહી છે.

આ પણ વાંચો : સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે ચોર ઝડપાયા

આ પણ વાંચો : Surat: ચેમ્બર ઓફ કોમર્સ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો ત્રણ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">