Surat : એસટીએમ વિવાદનો મધપુડો વધુ એક વાર છંછેડાયો, માર્કેટના વેપારી દ્વારા ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાની અપીલ

કાપડ વેપારી દિનેશકુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારોને એક મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે, માર્કેટ લીઝ માટે સુરત મહાનગર પાલિકામાં આગામી 5મી માર્ચ પહેલા રકમ જમા કરાવવાની છે અને તે માટે તમામ વેપારીઓએ ચાર લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે જ્યારે એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો છે.

Surat : એસટીએમ વિવાદનો મધપુડો વધુ એક વાર છંછેડાયો, માર્કેટના વેપારી દ્વારા ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાની અપીલ
Hive of STM controversy once again shattered(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 9:42 AM

સુરત(Surat ) મહાનગર પાલિકાના શાસકો દ્વારા સુરત ટેક્સટાઈલ(Textile ) માર્કેટના વહીવટદારોને કરોડો રૂપિયાની જમીન(Land ) કોડીના ભાવે આપી દેવાના વિવાદમાં હવે એક નવો ફણગો ફુટ્યો છે. માર્કેટના વેપારીઓને કરવામાં આવેલી એક અપીલમાં માર્કેટના તમામ વેપારીઓને આગામી 5મી તારીખ સુધી મેઈન્ટેનન્સ ઓફિસમાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવા માટે જણાવાયું છે.

જે પૈકી ચાર લાખ રૂપિયાનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે જ્યારે એક લાખ રૂપિયાનો ચેક ભાજપના નામ લખવા માટે વેપારીઓને નિર્દેશ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપના નામે જે એક લાખ રૂપિયાનો ચેક લખવા માટે જણાવાયું છે તે ઈન્કમ ટેક્સ રિફંડેબલ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.

સુરત ટેક્સટાઈલ માર્કેટના મેનેજીંગ કમિટીના સભ્ય અને કાપડ વેપારી દિનેશકુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારોને એક મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે, માર્કેટ લીઝ માટે સુરત મહાનગર પાલિકામાં આગામી 5મી માર્ચ પહેલા રકમ જમા કરાવવાની છે અને તે માટે તમામ વેપારીઓએ ચાર લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે જ્યારે એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ અપીલમાં સૌથી વધુ આશ્ચર્ય સાથે આઘાતજનક એ છે કે, દિનેશ રાઠોડ નામના વેપારી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેમાં ભાજપને જે ચેક આપવાનો છે તે ઈન્કમ ટેક્સમાં રિફંડેબલ હોવાનું પણ જણાવાયું છે. આ અપીલને પગલે વેપારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાનો તે પાર્ટી ફંડ પેટે ફરજીયાત છે કે મરજીયાત છે તેની કોઈ ચોખવટ આ વેપારી દ્વારા કરવામાં આવી નથી.

સુરત ટેક્સટાઈલ માર્કેટનો શું છે વિવાદ

સુરત શહેરના હાર્દ સમા રિંગરોડ વિસ્તારમાં આવેલ સોનાની લગડી સમાન જમીન મહાનગર પાલિકા દ્વારા 50 વર્ષ પૂર્વે સુરત ટેક્સટાઈલ માર્કેટને લીઝ પર આપવામાં આવી હતી. આ લીઝ સને 2018માં પૂર્ણ થઈ ગયી હતી અને ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા જંત્રીના ભાવે 127 કરોડમાં 50 વર્ષ માટે ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન વિરોધ પક્ષ દ્વારા પણ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને અંતે શાસકો દ્વારા આ ઠરાવને પણ દરકિનાર કરીને 127 કરોડમાં જ 99 વર્ષ માટે એસટીએમ માર્કેટને લીઝ પર આપી દેવામાં આવી હતી.

કોંગ્રેસ અને આપનો વિરોધ

મહાનગર પાલિકાના શાસકો દ્વારા એસટીએમ માર્કેટને કોડીના ભાવે કરોડોની જમીન તાસક પર ધરી દેવાના નિર્ણયનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અલબત્ત, બહુમતિના જોરે એકતરફી નિર્ણય લેનારા શાસકો હવે એક વેપારીની અપીલને પગલે બેકફુટ પર ધકેલાઈ ગયા છે. આ સંદર્ભે આગામી દિવસોમાં ભાજપ દ્વારા આ વેપારી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ હવે ચર્ચાનો દૌર શરૂ થઈ ચુક્યો છે.

આ પણ વાંચો :

Surat : કોર્પોરેશનની નવી બિલ્ડિંગની રૂપરેખા તૈયાર, બિલ્ડિંગના પોડિયમની ઊંચાઈ 16 મીટર હશે

Surat : એક મહિનામાં 1000 કરોડ કેવી રીતે ખર્ચાશે ? પાલિકા પાસે કોઈ જવાબ નથી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">