AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની થઈ લિફ્ટમાં હત્યા, જાણો શું હતું કારણ

સુરતના અડાજણ પાટિયા ખાતે રહેતા 63 વર્ષય કાકાનો લીફ્ટમાં એક 22 વર્ષીય યુવક સાથે ઝઘડો થતા યૂવકેએ ફેંટ મારી હતી જ્યાં વધુ વાગી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

Surat: ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની થઈ લિફ્ટમાં હત્યા, જાણો શું હતું કારણ
સુરતમાં ગુજરાતના ગૃહ મંત્રીના કૌટુંબિક કાકાની થઈ હત્યા
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 06, 2022 | 6:00 PM
Share

સુરતના અડાજણ પાટિયા ખાતે રહેતા 63 વર્ષય કાકાનો લીફ્ટમાં એક 22 વર્ષીય યુવક સાથે ઝઘડો થતા યૂવકેએ ફેંટ મારી હતી જ્યાં વધુ વાગી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવક દ્વારા માર મારતા નાકની નસકોરી ફૂટી જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન મોત થતા પોલીસ દોડતી થઈ.

સુરત શહેરમાં ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી રહે છે. રાજ્યની લોકોની સુરક્ષાની જવાબદારી તેમની ત્યારે તેમના જ કૌટુંબિક કાકાની હત્યા થઈ છે. સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં મારામારી થતા થયેલી ઇજાના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો.

સુરત શહેરના અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કૌટુંબિક કાકા જયતિભાઈ સંઘવી લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા સાથે ઝઘડો થતા મોંઢા પર ફેંટ મારી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જો આ બાબતે હકીકતમાં ઘટનાની વાત કરીએ તો સુરત શહેરના અડાજણ પાટીયા સ્થિત રત્નપ્રભા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ગઈ કાલે જ્યાં રહે છે ત્યાં રહેણાંક એપાર્ટમેન્ટની લીફ્ટમાં જઇ રહ્યા હતા. તેમની સાથે લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા પણ હતો અને તેમની સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો.

આ ઝઘડામાં પડોશી બોની કમલેશ મહેતાએ વૃધ્ધ મહેશભાઇને મોંઢા પર ફેંટ મારી દેતા નાકની નસકોરી ફૂટી જતા લોહી નીકળવા લાગ્યું હતું. લિફ્ટમાં ઝગડો થયા બાદ ચોથા મળે પેસેઝમાં પણ માથાકૂટ થઈ હતી. મહેશભાઈને લોહી નીકળવા લાગતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તુરંત કાકાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા બાદ તેમનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે રાંદેર પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું એ છે કે મૃતક મહેશ શાંતિલાલ સંઘવી રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે. ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે.

હત્યા કોઈ મોટી બાબતે નહિ પણ સામન્ય બાબતે થઈ હતી.આજુબાજુના લોકો પણ એ જ કહીં રહ્યા હતા કે આ બોની નામના યુવકની કોઈને કોઈના જોડે વારંવાર માથાકૂટ થતી જ રહેતી હોય છે. સ્થાનિક પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ હત્યા કરનાર ઈસમને પકડવા ચક્રો ગતી માન કર્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: પિતા પુત્રના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો, દારૂ પિવાની લતે ચડી ગયેલા પુત્રની હત્યા કરી નાખી

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 27 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન, 6 લોકોને નવજીવન મળશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">